પીએમ મોદીએ ગુરુવારે ટ્વીટ કર્યું, “આનંદ શંકર પંડ્યા એક મહાન લેખક અને બૌદ્ધિક હતા. જેમણે ઇતિહાસ, જાહેર નીતિ અને આધ્યાત્મિકતા પર વ્યાપકપણે લખ્યું છે. તેઓ ભારતના વિકાસ માટે ઉત્સાહી હતા અને નિઃસ્વાર્થપણે સમાજની સેવા માટે કામ કરતા હતા.
આ પણ વાંચો :BMCએ ચૂંટણી પહેલા કોર્પોરેટરોની બેઠકમાં કર્યો વધારો ,કેબિનેટે લીધો મોટો નિર્ણય
તેમના શોક સંદેશમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, “મારું મન આનંદશંકર પંડ્યા સાથે થયેલી ઘણી વાતચીતો પર જાય છે. મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મુદ્દાઓ પર આંતરદૃષ્ટિ સાથેની તેમની વાર્તાલાપની ઘણી વાર્તાઓ સાંભળીને આનંદ થયો.
Shri Anand Shankar Pandya Ji was a prolific author and public intellectual who wrote extensively on history, public policy and spirituality. He was passionate about India’s growth. He was active in the VHP and worked selflessly towards social service. Saddened by his demise.
— Narendra Modi (@narendramodi) November 11, 2021
પીએમ મોદીએ કહ્યું કે “આનંદ શંકર પંડ્યા વીએચપીમાં સક્રિય હતા. તેમના મૃત્યુથી હું દુખી છું. તેમના પરિવાર સાથે વાત કરી અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.”
આ પણ વાંચો : કંગનાએ કહ્યું 1947માં મળેલી આઝાદીએ ભીખ હતી,વાસ્તવિક આઝાદી 2014માં મળી,વરૂણ ગાંધીએ કર્યો પલટવાર
યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક વ્યક્ત કરતાં લખ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રસિદ્ધ લેખક શ્રી આનંદશંકર પંડ્યાજીનું અવસાન અત્યંત દુઃખદ છે. જીવનભર નિઃસ્વાર્થ ભાવે સમાજ કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણા માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ!
આ પણ વાંચો :નવાબ મલિકની પુત્રીએ ડ્રગ્સ મામલે પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને મોકલી નોટિસ,માફી માંગે નહિતર માનહાનિ કેસ
આ પણ વાંચો :અમેરિકામાં BAPS સંસ્થા પર લાગ્યા ગંભીર આરોપ જાણો…
આ પણ વાંચો :જૌનપુર જિલ્લામાં મોટો અકસ્માત, માલગાડીનાં 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા
