ઉત્તરપ્રદેશનાં ફર્રુખાબાદમાં ગુરુવારે લગભગ 10 કલાક સુધી ચાલેલા બંધક સંકટ હવે ખતમ થઇ ગયુ છે. પોલીસે જવાબી કાર્યવાહીમાં સુભાષ બાથમ નામનાં શખ્સને ઠાર કરી દીધો છે. આ કાર્યવાહીમાં તેની પત્ની રૂબી પણ ઇજાગ્રસ્ત થઈ હતી, જેનું બાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે તમામ 23 બાળકોને સુરક્ષિત બહાર કાઠ્યા છે. આ સમગ્ર મામલો ફર્રુરૂખાબાદ જિલ્લાનાં મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનાં કિર્થા ગામનો છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ તેની પુષ્ટિ કરી છે.
UP Additional Chief Secretary&Principal Secretary Home Awanish K Awasthi: Chief Minister has announced an award of Rs 10 lakhs for UP police&its team that successfully carried out the operation. All personnel who took part in operation will be given certificate of appreciation. https://t.co/QMcp8pD9k0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 30, 2020
યુપીનાં અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને એક ઓપરેશનમાં ઠાર કરી દેવામાં આવ્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઠવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી પોલીસ અને તેની ટીમને 10 લાખ રૂપિયાનાં એવોર્ડની ઘોષણા કરી છે, જેણે આ અભિયાનને સફળતાપૂર્વક હાથ ધર્યું છે. કામગીરીમાં ભાગ લેનારા તમામ કર્મચારીઓને પ્રશંસા પત્ર આપવામાં આવશે.
UP DGP OP Singh: The operation ran for around 8 hours. We tried to engage him constructively through talks but we got information that he had firing capability and there was possibility that he had explosives in his possession. He was threatening to carry out a blast. https://t.co/QMcp8pD9k0 pic.twitter.com/Nit6XlJgl2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 30, 2020
ઉત્તર પ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓ.પી.સિંહે કહ્યું કે, આ કામગીરી લગભગ 8 કલાક સુધી ચાલી હતી. અમે તેને વાતચીત દ્વારા રચનાત્મક રીતે જોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમને ખબર પડી કે તે ફાયરિંગ કરી શકે છે અને તેની પાસે વિસ્ફોટકો પણ હોવાની સંભાવના છે. તે વિસ્ફોટ કરવાની ધમકી પણ આપી રહ્યો હતો.
જણાવી દઇએ કે, સુભાષ બાથમનાં આરોપીએ પડોશીઓ સાથેની દુશ્મનાવટથી બાળકોને બંધક બનાવ્યા હતા. સુભાષે જન્મદિવસનાં બહાને નજીકનાં બાળકો અને અન્ય લોકોને તેના ઘરે બોલાવ્યા અને થોડા સમય પછી બધાને સાથે રૂમમાં બંધ કરી દીધા. પોલીસ અને પ્રશાસનનાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસ સતત તે ઘર પર નજર રાખતી રહી. પોલીસ તેમને કોઈ જોખમ વિના બહાર કાઠવાનો પ્રયાસ કરી રહી હતી.
આ પછી, યુપી પોલીસ અને એટીએસની ટીમે મોડી રાત્રે તેને ગોળી મારી હતી અને તમામ બાળકોને સલામત રીતે ઘરની બહાર કાઠવામાં સફળ રહી હતી. પોલીસે તમામ 23 બાળકોને સુરક્ષિત બહાર કાઠયા ત્યારે તમામ બાળકો ડરી ગયા હતા. દરેક બાળક તેના માતાપિતા પાસે જવા માંગતા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ આ મામલા પર નજર રાખી રહ્યા હતા અને તેમણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક કરી અને તેમને ઘટના સ્થળે રહેવા નિર્દેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
