આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા, જે પાકિસ્તાને 13 બોલ બાકી રહેતા એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધા હતા. વર્લ્ડ કપના કોઈપણ ફોર્મેટમાં ભારતે પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું છે. આ હારના કારણે સમગ્ર દેશમાં દુ :ખનું વાતાવરણ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ હારને ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો ગણાવ્યો છે. જોકે, ગાવસ્કરે ઉમેર્યું હતું કે માત્ર હારથી ટૂર્નામેન્ટમાં ટીમનો પ્રવાસ સમાપ્ત થતો નથી અને ટીમે આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે.
ગાવસ્કરે મેચ પૂરી થયા બાદ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર એક શોમાં કહ્યું, ‘વિપક્ષી ટીમ દ્વારા ભારતીય ટીમ પર આ મજબૂત હુમલો છે. જો કે માત્ર એક હારથી ટીમની સફર ખતમ થતી નથી. ટીમે એકજૂટ રહેવાની જરૂર છે. તેઓએ આગામી મેચો માટે તૈયાર રહેવું પડશે. આશા છે કે ભારતીય ટીમ આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે. ટીમે હવે પાકિસ્તાન સામેની હાર ભૂલીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
