- આજે પૂર્વ PM અટલજીની 97મી જન્મજયંતિ
- દિલ્હીમાં PM મોદીએ અટલજીને આપી શ્રદ્ધાંજલિ
- અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓ હાજર
- સદૈવ અટલ સ્મૃતિ સ્થળે પ્રાર્થનાસભાનું આયોજન
- જન્મજયંતિની સુશાસન દિવસ તરીકે ઉજવણી
આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજો સદૈવ અટલ પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
Delhi | President Ram Nath Kovind and Prime Minister Narendra Modi pay floral tribute at ‘Sadaiv Atal’ on former PM Atal Bihari Vajpayee's birth anniversary
Source: DD News pic.twitter.com/lMRroPtF8t
— ANI (@ANI) December 25, 2021
આ પણ વાંચો – Festival / દેશમાં ક્રિસમસનો ઉત્સાહ, લોકો એકબીજાને કહી રહ્યા છે મેરી ક્રિસમસ, જાણો કેમ હેપ્પીની જગ્યાએ મેરી કહે છે
આ પ્રસંગે ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આપને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924નાં રોજ થયો હતો. તેઓ ત્રણ વખત દેશનાં વડાપ્રધાન રહી ચૂક્યા છે અને ભાજપનાં સૌથી વરિષ્ઠ-કમ-નેતાઓમાંના એક હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.
महान स्वतंत्रता सेनानी, शिक्षाविद् और समाज सुधारक महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) December 25, 2021
અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી.
आदरणीय अटल जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।
Remembering Atal Ji on his Jayanti. We are inspired by his rich service to the nation. He devoted his life towards making India strong and developed.
His development initiatives positively impacted millions of Indians.
— Narendra Modi (@narendramodi) December 25, 2021
રાજનાથ સિંહે લખ્યું કે, હું અટલજીને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેઓ એક મહાન રાષ્ટ્રવાદી હતા જેમણે એક પ્રતિષ્ઠિત વક્તા, એક અદ્ભુત કવિ, એક સક્ષમ વહીવટકર્તા અને નોંધપાત્ર સુધારાવાદી તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. ભારતનાં જાહેર જીવનમાં અટલજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં.
I bow to Atalji on his jayanti. He was a great nationalist who distinguished himself as an eminent orator, wonderful poet, able administrator and a remarkable reformist.
Atalji’s tremendous contribution to India’s public life will never be forgotten.
अटलजी को सादर नमन!
— Rajnath Singh (@rajnathsingh) December 25, 2021
પૂર્વ વડાપ્રધાનને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્વાંજલિ આપી હતી, તેમણે ટ્વીટ કરતા લખ્યુ, અટલજીએ પોતાના વડાપ્રધાનનાં કાર્યકાળ દરમિયાન ઘણા દૂરંદેશી નિર્ણયો લઈને મજબૂત ભારતનો પાયો નાખ્યો અને સાથે જ દેશમાં સુશાસનનું વિઝન પણ બતાવ્યું. દર વર્ષે મોદી સરકાર અટલજીનાં યોગદાનને યાદ કરીને ખૂબ જ ઉત્સાહ સાથે ‘સુશાસન દિવસ’ ઉજવે છે. સૌને સુશાસન દિવસની શુભકામનાઓ.
अपने प्रधानमंत्री के कार्यकाल में अटलजी ने कई दूरदर्शी निर्णय लेकर एक मजबूत भारत की नींव रखी और साथ ही देश में सुशासन की कल्पना को चरितार्थ करके दिखाया।
मोदी सरकार हर वर्ष अटलजी के योगदानों का स्मरण कर बड़ी उत्साह से ‘सुशासन दिवस’ मनाती है।
सभी को सुशासन दिवस की शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) December 25, 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારકથી વડાપ્રધાન સુધીની સફર કરનાર અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924નાં રોજ ગ્વાલિયરમાં મોટા દિવસનાં અવસરે થયો હતો. અટલ બિહારી વાજપેયી પત્રકારત્વ કર્યા પછી રાજકારણમાં આવ્યા હતા. તેઓ 1951માં ભારતીય જનસંઘનાં સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ 1957માં ઉત્તર પ્રદેશની બલરામપુર બેઠક પરથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. 1962 થી 68 સુધી તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાનાં સભ્ય હતા. 1967માં ફરી એકવાર તેઓ બલરામપુરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ 1971માં ગ્વાલિયરથી જીત્યા હતા. તેઓ 1977માં નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. 1977માં જ તેઓ દેશનાં વિદેશ મંત્રી બન્યા, જ્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં સંબોધન કર્યું. 1980માં તેઓ ફરી એકવાર પાંચમી વખત લોકસભામાં પહોંચ્યા. ભાજપની સ્થાપના 1980માં જ થઈ હતી અને તેઓ તેના સ્થાપક સભ્ય તેમજ પ્રથમ પ્રમુખ હતા.
