ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.
તાજેતરમાં જ એક ખરાબ સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ આ વર્ષે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલા તે એશિયા કપમાંથી બહાર થયો હતો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં વાપસી કરી હતી. હવે દક્ષિણ આફ્રિકા શ્રેણીની સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે.
પરંતુ આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને સંપૂર્ણ આશાવાદી છે. ટીમ મેનેજમેન્ટ અંતિમ ક્ષણ સુધી રાહ જોવાના મૂડમાં છે. જો આ દરમિયાન બુમરાહ સ્વસ્થ થઈ જશે તો BCCI બુમરાહને વર્લ્ડ કપ માટે ટીમમાં રાખશે.
સુત્રના જણાવ્યા અનુસાર “બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટ છેલ્લી ઘડી સુધી રાહ જોશે. તેઓ (BCCI) ઈચ્છે છે કે બુમરાહ T20 વર્લ્ડ કપમાં રમે. તેણે મેડિકલ ટીમને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોર) ખાતે બુમરાહની સંપૂર્ણ તપાસ કરવા અને ઈજાનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. બુમરાહને ફિટ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો. જો બીસીસીઆઈને લાગે છે કે એક ટકા પણ થવાની સંભાવના છે તો બુમરાહ ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે.
મેડિકલ ટીમ સતત ટેસ્ટ અને સ્કેન કરી રહી છે, જેના કારણે બુમરાહ 5 ઓક્ટોબરે ટીમ સાથે પ્રવાસ કરી શકશે નહીં, પરંતુ પછી આવશે. BCCI ઈચ્છે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં હાજર રહે (વર્લ્ડ કપ રમે). આ સાથે મેડિકલ ટીમ પણ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવાની વાત કરી રહી છે.
આ જ કારણ છે કે BCCI બુમરાહના સ્થાનની જાહેરાત કરવાની ઉતાવળમાં નથી. તે પછીથી પણ થઈ શકે છે. તમામ રિપોર્ટ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે શેર કરવામાં આવશે. ત્યાર બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમી રહી છે. પ્રથમ મેચ ભારતીય ટીમે જીતી છે, જ્યારે બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 5 ઓક્ટોબરે વર્લ્ડ કપ માટે ઉડાન ભરશે.
