સુરત,
સુરત અડાજણ વિસ્તારના એલ. પી. સવાણિ સર્કલ પાસે કારમાં આગ લાગી હતી.પેટ્રોલની પાઇપ લીકેજ થતા કારમાં આગ લાગી હતી.સદનસીબે કોઈ જાનહાનિ થતા ટળી હતી.આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.લોકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.ફાયર વિભાગની ટીમને જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આપને જણાવી દઈએ કે આ કાર મારૂતિ ક્ંપનીની હતી. કાર અડાજણ એલપી સવાણી સર્કલ નજીક આગ લાગી હતી. રસ્તા વચ્ચે અચાનક કારમા આગ લગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે રહેલા લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ પેટ્રોલની પાઈપ લિક હોવાથી લાગી હોવાનું માનવમાં આવી રહ્યું છે. આગમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે કાર 80 ટકા જેટલી બળી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
