Not Set/ ગાંધી આશ્રમ અને હરિજન આશ્રમ વચ્ચેની દિવાલ દૂર કરાઇ, દિવાલ તોડી દર્શાવ્યો વિરોધ

અમદાવાદ અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીકની હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી દીવાલને લઈને ગાંધી આશ્રમના સંચાલકો અને હરિજન આશ્રમ ટ્રસ્ટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ત્યારે અમદાવાદને હેરિટેજ સીટીનો દરરજો મળ્યો છે. ગાંધી આશ્રમ એ હેરિટેજ સ્થળ તરીકે ગણતરી કરવામાં આવે છે. દેશ-વિદેશથી લોકો અહિ ગાંધીજી વિશે માહિતી મેળવવા આવે છે. 100 એકરમાં આ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ

અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીકની હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી દીવાલને લઈને ગાંધી આશ્રમના સંચાલકો અને હરિજન આશ્રમ ટ્રસ્ટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો.

ત્યારે અમદાવાદને હેરિટેજ સીટીનો દરરજો મળ્યો છે. ગાંધી આશ્રમ એ હેરિટેજ સ્થળ તરીકે ગણતરી કરવામાં આવે છે. દેશ-વિદેશથી લોકો અહિ ગાંધીજી વિશે માહિતી મેળવવા આવે છે.

100 એકરમાં આ જગ્યા પથરાયેલી છે. 1917 સ્થાપના કરવામાં આવી છે. દાંડી કૂચની શરૂઆત પણ અહિથી કરવામાં આવી હતી. પરંતુ હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્રારા અહિ દિવાલ ચણવામાં આવી હતી જેને લઇ ટ્રસ્ટ દ્રારા આ દિવાલ પાડવામાં આવી છે. ધણી વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઇ પણ પ્રકારની કામગીરી ન થતા આજે દિવાલ તોડી પાડવામાં આવી છે.