અમદાવાદ,
અમદાવાદ શહેરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાને જડમુળમાંથી દુર કરવાના દ્રઢ નિર્ધાર સાથે પોલીસ કમિશનરની ઝુંબેશને પ્રચંડ સફળતા મળી રહી છે.
પોલીસ કમિશનર એ.કે. સિંઘે ટ્રાફિક સમસ્યાનો અભ્યાસ કરવા અને મુશ્કેલીઓ જાણવા માટે રીક્ષામાં મુસાફરી કરી હતી.પોલીસ કમિશનર એ. કે. સિંઘે અચાનક કારંજ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.
જેમણે ભદ્ર,લાલદરવાજા,પાનકોર નાકા અને ગીચતા ધરાવતા વિસ્તારમાં રીક્ષામાં બેસી મુસાફરી કરી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ ફોટો કારંજ વિસ્તારમાં મુસાફરીનો છે. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રીક્ષામાં મુસાફરી કરી હતી.
