ભારતીય નાગરિક હમીદ નેહલ અન્સારી, જે પાકિસ્તાનની જેલમાં 6 વર્ષથી કેદ હતા તેઓ આજે વાઘા બોર્ડરથી ભારત પરત આવશે. એમનાં પર જાસુસીનો આરોપ હતો. એક્સટર્નલ અફેર મીનીસ્ટ્રીનાં પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે , આ એક મોટી રાહત છે ખાસ કરીને એમનાં પરિવાર માટે.
6 વર્ષ બાદ પોતાનો દીકરો ભારત પરત આવે છે ત્યારે એમની માતાએ કહ્યું કે, ‘એ સારા ઈરાદા સાથે ગયો હતો પણ શરુઆતમાં એ ગાયબ થઇ ગયો અને ત્યારબાદ એ મળ્યો અને એને કેદ કરી લેવામાં આવ્યો. એ વિઝા વગર ગયો ન હતો. એને છોડી દીધો એ વાત માનવતાની જીત છે.’
Indian national Hamid Ansari who was lodged in a jail in Pakistan, is being released today. His mother says, "He went with noble intentions but initially went missing and was later caught and framed. He shouldn't have gone without a visa. His release is a victory for humanity." pic.twitter.com/LcfHQxblyX
— ANI (@ANI) December 18, 2018
પાકિસ્તાન ઇન્ટરનલ અફેર્સ મીનીસ્ટ્રીનાં પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલે આ માહિતીને ટ્વીટ કરીને જણાવ્યું હતું , જેમાં એમણે હમીદ અન્સારીને ‘ભારતીય જાસુસ’ કહ્યો હતો અને જણાવ્યું હતું કે તે પાકિસ્તાનમાં ગેરકાનૂની રીતે દાખલ થયો હતો જે ‘એન્ટી સ્ટેટ ક્રાઈમ’ માં શામેલ હતો.
#HamidNehalAnsari, an Indian spy who had illegally entered Pakistan and was involved in anti-state crimes and forging documents, is being released upon completion of his sentence and is being repatriated to India.
— Dr Mohammad Faisal (@DrMFaisal) December 17, 2018
૩૩ વર્ષીય અન્સારી એક એન્જીનીયર હતા. તેઓ મુંબઈથી હતા. અન્સારી 4 નવેમ્બર, 2012નાં રોજ કબુલ, અફઘાનિસ્તાન ટુરિસ્ટ વિઝા પર જોબ માટે ગયાં હતા. ત્યરબાદ તેઓ પાકિસ્તાનમાં દાખલ થયાં હતા એક છોકરીને મળવા ગયાં હતા જેને તેઓ ફેસબુક પર મળ્યાં હતા. એ જ વર્ષે તેઓ પાકિસ્તાન દ્વારા કસ્ટડીમાં લેવાય ગયાં હતા.
