Not Set/ દશેરાના દિવસે ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’નાં સભ્યોએ કર્યું સુરપંખાનાં પુતળાનું દહન

તમે દશેરા પણ રાવણ દહનની વાત સાંભળી હશે પરંતુ દશેરાનાં દિવસે સુરપંખાનાં પુતળાનાં દહનની વાત તમે નહી સાંભળી હોય. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ પાસે આવેલા કરોલી ગામમાં ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’નાં સભ્યોએ રાવણની બહેન સુરપંખાનાં પુતળાનું દહન ગુરુવારે કર્યું હતું. ગુરુવારે દશેરાના દિવસે એમણે સુરપંખાનું દહન કર્યું હતું. આ ગ્રુપ પત્નીઓથી હેરાન પરેશાન થયેલાં પતિઓનું ગ્રુપ છે. […]

Trending

તમે દશેરા પણ રાવણ દહનની વાત સાંભળી હશે પરંતુ દશેરાનાં દિવસે સુરપંખાનાં પુતળાનાં દહનની વાત તમે નહી સાંભળી હોય. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ પાસે આવેલા કરોલી ગામમાં ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’નાં સભ્યોએ રાવણની બહેન સુરપંખાનાં પુતળાનું દહન ગુરુવારે કર્યું હતું.

ગુરુવારે દશેરાના દિવસે એમણે સુરપંખાનું દહન કર્યું હતું. આ ગ્રુપ પત્નીઓથી હેરાન પરેશાન થયેલાં પતિઓનું ગ્રુપ છે. આ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના ભરતે કરી હતી. ભરતે જણાવ્યું કે, 2015નાં રેકોર્ડ અનુસાર ટોટલ મેરીડ લોકોએ કરેલી આત્મહત્યામાં 74% પુરુષો હતા.

હિન્દુ પુરાણ મુજબ, સુરપંખા જ રામ અને રાવણની લડાઈનું મૂળ કારણ છે. આ ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’નાં સભ્યોએ અલગ જ રીતે દશેરાની ઉજવણી કરી હતી. વિજયાદશમીનાં દિવસે અસત્ય પર સત્યની જીત થઇ હતી અને એટલે જ લોકો આ દિવસે રાવણ દહન કરે છે.