જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે લોકો કહે છે કે તે વ્યક્તિ સ્વર્ગમાં ગયો છે. એટલે કે, લોકો માને છે કે સારા લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે. પરંતુ જો તમે મરતા પહેલા સ્વર્ગના દરવાજાને જોઈ શકો તો તમે શું કરશો? બેંગલુરુમાં આ સમયે ‘સ્વર્ગના પ્રવેશદ્વાર’ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે, જે ત્યાં આકાશમાં દેખાય છે!
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, બેંગ્લોરના આકાશમાં એક દરવાજા જેવો આકાર જોવા મળ્યો, જેનો લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. લોકો આ આકૃતિને સ્વર્ગનો દરવાજો કહી રહ્યા છે. ધીરે ધીરે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
A mysterious shadow (object?) was seen in Bengaluru skies last night near Hebbal flyover. Did anyone else see? What could this possibly be? A shadow of a building? If it is, then what could possibly be the science behind it?
Credits: @SengarAditi pic.twitter.com/8YOIzvIsPv
— Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) July 23, 2023
આ વીડિયોને શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘હેબ્બાલ ફ્લાયઓવર પાસે ગઈકાલે રાત્રે બેંગલુરુના આકાશમાં એક રહસ્યમય પડછાયો (વસ્તુ) જોવા મળ્યો. બીજા કોઈએ જોયું છે? આ શું હોઈ શકે? ઇમારતનો પડછાયો? જો એમ હોય તો તેની પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે?’
વાયરલ વીડિયોમાં લોકો આ પડછાયાને સ્વર્ગનો દરવાજો કહી રહ્યા છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:રણવીર સિંહના દેખાવે સોશિયલ મીડિયા પર મચાવી તબાહી, ચાહકો થયા ફિદા
આ પણ વાંચો:રામાયણની સીતા શ્રીરામના દર્શન કરવા પહોંચી અયોધ્યા, મિનિટોમાં VIDEO વાયરલ
આ પણ વાંચો:‘સર મારશો નહીં…’ બાળક બૂમો પાડતો રહ્યો પણ રાક્ષસ શિક્ષક મારતો રહ્યો ઢોરમાર!
આ પણ વાંચો:ફોન વાપરવા બદલ પિતાએ આપ્યો ઠપકો… 21 વર્ષની દીકરીએ ‘નાયગ્રા ફોલ્સ’માં ઝંપલાવ્યું! વિડિઓ
