Not Set/ તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો?

આપણા ઘરમાં જો કોઈ કારણસર થોડીવાર માટે પણ વીજળી ચાલી જાય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ. આપણને થોડાક સમય માટે પણ લાઈટ-પંખા કે વીજળીથી ચાલતા અન્ય ઉપકરણો વિના નથી ચાલતું. પણ આપણી જીવનશૈલીનો અવિભાજય અંગ બની ચૂકેલી વીજળી વિશે આપણે કેટલું જાણીએ છીએ? જો તમને તેના વિશે ઝાઝી જાણકારી ન હોય તો તજજ્ઞોએ આપેલી […]

Tech & Auto
Electrical Facts 2014 PR તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો?

આપણા ઘરમાં જો કોઈ કારણસર થોડીવાર માટે પણ વીજળી ચાલી જાય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ. આપણને થોડાક સમય માટે પણ લાઈટ-પંખા કે વીજળીથી ચાલતા અન્ય ઉપકરણો વિના નથી ચાલતું. પણ આપણી જીવનશૈલીનો અવિભાજય અંગ બની ચૂકેલી વીજળી વિશે આપણે કેટલું જાણીએ છીએ? જો તમને તેના વિશે ઝાઝી જાણકારી ન હોય તો તજજ્ઞોએ આપેલી આ માહિતી પર એક નજર નાખો.

texas summer what તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો?

નિષ્ણાતો કહે છે કે આપણા સ્વીચ બોર્ડમાં રેડ, યેલો, બ્લુ, બ્લેક અને ગ્રીન જેવા અલગ અલગ કલરના વાયર હોય છે. પણ પ્રત્યેક કલરનાં વાયર ચોક્કસ કાર્ય માટે હોય છે. જેમ કે રેડ, બ્લ્યૂ, યેલો એટલે ફેઝ વાયર, બ્લેક એટલે ન્યૂટ્રલ વાયર અને ગ્રીન એટલે અર્થિંગ વાયર. તજજ્ઞો અર્થિંગનો અર્થ સમજાવતાં કહે છે કે જયારે ઈલેક્ટ્રિક સિસ્ટમમાંથી ખામીયુક્ત પ્રવાહ ગળવા લાગે ત્યારે આ વાયરનાં માધ્યમથી તેને જમીનમાં લઈ જવો જરૂરી બની જાય છે. જો તમારા સ્વીચ બોર્ડમાં અર્થિંગ વાયર જોડાયેલું ન હોય અને વીજ પ્રવાહ ગળતો હોય એ વખતે કોઈ વિદ્યુત ઉપકરણને તમે સ્પર્શ કરશો તો તમને વીજળીનો ‘શોક’ લાગે છે. જે અત્યંત જોખમી હોય છે. તેથી અર્થિંગ માત્ર અત્યાવશ્યક નહીં, પણ ફરજિયાત ગણાય છે. વિદ્યુત ઉપકરણો સાથે સ્ટે‍બિલાઈઝર પણ જરૂરી હોય છે. તેનું કારણ એ છે કે આ ઉપકરણો ચોક્કસ વોલ્ટેજ પર ચાલતા હોય છે, પરંતુ જો વોલ્ટેજ ફ્લક્ચ્યૂએટ થાય, એટલે કે અચાનક વધી અથવા ઘટી જાય તો આ ઉપકરણોને હાની પહોંચે છે. પરંતુ સ્ટેબિલાઈઝર સંબંધિત ઉપકરણમાં વિદ્યુતનાં ચોક્કસ વોલ્ટેજને જાળવી રાખે છે. જો કે આજે બજારમાં નવા આવતા વીજળી ઉપકરણોમાં ઈનબિલ્ટ સ્ટેબિલાઈઝર હોય છે.

substation basics તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો?

આપને જણાવી દઇએ કે, એરકંડિશન, ગીઝર, વોશિંગ મશીન, વોટર પમ્પ , ઈસ્ત્રી અને વોટર હીટર જેવા એપ્લાયન્સીસને પુષ્કળ વીજળી જોઈએ છે. આપણા એપ્લાણયન્સીસને સ્વીચ ઓફ કર્યા વિના વીજળીની બચત કરવાનો રસ્તો બતાવતાં નિષ્ણાતો કહે છે કે, વિદ્યુતથી ચાલતું ઉપકરણ પોતાની મેળે બંધ કે ચાલુ થાય એટલા માટે પ્રિસેટ ટાઈમર લગાવો. જેમ કે એરકંડિશનરમાં એક, બે કે ત્રણ કલાકનો ટાઈમ સેટ કરી દેવામાં આવે તો તેટલા સમયમાં એ.સી. આપોઆપ બંધ થઈ જાય છે. પણ ઓરડો એકદમ ઠંડો થઈ ગયો હોવાથી એ.સી. ઓટોમેટિકલી બંધ થઈ જવા છતાં લાંબા સમય સુધી ગરમી થતી નથી. પેસેજ કે સોસાયટીનાં પગથિયાની લાઈટ ચાલુ/બંધ કરવા અગાઉથી સમય સેટ કરી રાખો.

તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો?

જે ઓરડામાંથી બહાર નીકળો તે રૂમનાં લાઈટ, પંખા અને ટીવી બંધ કરવાની ટેવ પાડો. અથવા ઓટોમેટિક મુવમેન્ટ ડિટેક્ટર્સ લગાવો, જેથી કોઈ રૂમમાં આવે અથવા જાય ત્યારે લાઈટ આપોઆપ ચાલુ/બંધ થઈ જાય અને વીજળીનો બગાડ ન થાય. પ્રત્યેક ઘરમાં ટેસ્ટર ફ્યુઝ વાયર, ઈન્યુટેવ લેટિંગ ટેપ, સ્ક્રુ ડ્રાઈવરપ્લાયર્સ (તાર) જેવી વસ્તુઓ હાથવગી હોવી જોઈએ. તમારા ઘરમાં ઈલેક્ટ્રિસિટીનું કામ ચાલી રહ્યું હોય ત્યારે ઈલેક્ટ્રિશિયન તેમાં કયા વાયરનો ઉપયોગ કરે છે, ઈલેક્ટ્રિશિયન અનુભવી છે કે નહીં, તેની પાસે સંબંધિત કામ કરવાનું અધિકૃત પ્રમાણપત્ર છે કે નહીં તે તપાસી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.