દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 15 નવેમ્બર 2020, રવિવાર
- તિથિ – આસો વદ અમાસ
- રાશિ – તુલા (ર,ત), બપોરે 12.00 થી વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર – વિશાખા
- યોગ – સૌભાગ્ય
- કરણ – નાગ
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 9.36 થી 11.00
- અન્નકૂટ દર્શન
- બપોરે 12.00 થી વિંછુડો બેસી જાય છે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- આનંદ વર્તાય
- સંબંધો સાચવવા માટે ખર્ચ થાય
- પ્રવાસની શક્યતા છે
- વેપારમાં સ્થાનાંતર થઈ શકે
* વૃષભ (બ,વ,ઉ) –
- મનોરંજનના કાર્યો થાય
- સંતાન માટે ખર્ચ થાય
- સંબંધોમાં સાવધાન રહેવું
- ધર્મકાર્યો થાય
* મિથુન (ક,છ,ઘ) –
- ધન સંબંધી કાર્યો થાય
- જીવનસાથી સાથે સંયમ રાખવો
- ગુસ્સા ઉપર કાબૂ રાખજો
- તમારે નિર્ણય પ્રમાણિકતાથી લેવા
* કર્ક (ડ,હ) –
- મનને સુખ ન વર્તાય
- ખોટો વિચારોને તિલાંજલી આપજો
- બીજાના સુખમાં સુખ છે તે માનવું પડે
- જમીન-મકાનમાં લાભ
* સિંહ (મ,ટ) –
- વહીવટી કાર્યો થાય
- સંતાનના કાર્યો મહેનત વધુ રહે
- પરિવારમાં ખર્ચ વધી જાય
- ભાષા ઉપર સંયમ રાખજો
* કન્યા (પ,ઠ,ણ) –
- વેપારમાં થોડો સાવધાન રહેવું
- ખર્ચેલું એળે ન જાય તે જોવું
- ચામડીના દર્દથી સાવધાન
- શાંતિ અને સુમેળનું વાતાવરણ રાખવું
* તુલા (ર,ત) –
- પ્રેમ સંબંધ મજબૂત બને
- સ્વાર્થવૃત્તિને દૂર રાખવું
- સ્થાનાંતરની શક્યતા છે
- ઉગ્ર ન થવું
* વૃશ્ચિક (ન,ય) –
- મિત્રો સાથે પ્રવાસ રહે
- ઉડાઉ સ્વભાવ ઉપર અંકુશ મૂકવો
- સંતાન સંબંધી કાર્યો થાય
- સંતાન દ્વારા ધનપ્રાપ્તિ પણ થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- માતાથી લાભ
- અચાનક ધન લાભ શક્ય છે
- પરિવારમાં મતભેદથી દૂર રહેવું
- મનમાં ધર્મભાવ વધશે
* મકર (ખ,જ) –
- સહકાર મળે
- વેપારમાં લાભ
- જીવનસાથીથી લાભ
- પિતા સાથે સાચવવું
* કુંભ (ગ,શ,સ,ષ) –
- પ્રવાસમાં લાભ થાય
- પોતાના ગુરૂની કૃપા પ્રાપ્ત કરવી
- ધનલાભની શક્યતા છે
- વેપારમાં પરિવર્તન આવે
* મિન (દ,ચ,ઝ,થ) –
- મનના વિચાર સ્થિર રાખવા
- કાર્યક્ષેત્રે વ્યસ્તતા રહે
- જીવનસાથીનું આરોગ્ય જાળવવું
- એક સાથે અનેક કાર્યો થઈ શકે છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે અન્નદેવની પૂજા કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.