Ambaji Temple News: અંબાજી (Ambaji)માં વિશ્વ હિન્દુ પરિષદે (Vishv Hindu Parishad) ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે પોલીસને આવેદન આપ્યું. અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે. ગતરોજથી શારદીય નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી (Ambaji) મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે પણ અત્યારે સારા દિવસો કહી શકાય. સ્થાનિક વેપારીઓ આવા તહેવારોમાં સારી કમાણી કરતા હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
નવરાત્રિ (Navratri) માં અંબાજી મંદિરના સ્થાનિક વેપારીઓને કેટલાક શખ્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્થાનિક વેપારીઓને મદદ કરવા VHP અને હિન્દુ સંગઠન આગળ આવ્યું છે. VHP અને હિન્દુ સંગઠન દ્વારા વેપારીઓને વારંવાર કરાતી હેરાનગતિને લઈને પોલીસને આવેદન પત્ર આપ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી મંદિરના વેપારીને મુસ્લિમ યુવકે ધમકી આપી હતી. મુસ્લિમ યુવકને ધમકી આપતા વેપારી અને તેના પરિવારમાં ગભરાટ ફેલાયો.
પરિવાર અને પોતાની સુરક્ષા મામલે ચિંતિત વેપારીએ હિન્દુ સંગઠનની મદદ લીધી. જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને. સ્થાનિક વેપારીને ધમકી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. આ મુસ્લિમ યુવાન ફરી કોઈ બીજા વેપારીને નિશાન ના બનાવે માટે VHP અને હિન્દુ સંગઠન દ્વારા અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપતા મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ ફિરદૌસ ખાન પઠાણ નામના ઈસમ અમિત અગ્રવાલ નામ ના વેપારીને ધમકી આપી હતી. ધમકી આપનાર ઈસમ ફિરદોષ ખાન અગાઉ ધમકી ના 2 દિવસ પેહલા જ ચોરી કરતા ઝડપાયો હતો. જો ધમકી આપનાર સામે યોગ્ય કાર્યવહી પોલીસ nahi લે તો વિસ્વ હિન્દૂ પરિસદ લેશે પગલાં.
આ પણ વાંચો: નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો
