Surat News/ સુરત નજીક કીમ-કોસંબા રેલ્વે ટ્રેક ઉડાડવાના કેસમાં રેલ્વે કર્મચારી જ નીકળ્યો આરોપી

સુરતના કીમ-કોસંબા વચ્ચે મોટો રેલ્વે અકસ્માત સર્જવાનું કાવતરું નિષ્ફળ જતાં કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ ઘટના પર વિશેષ ધ્યાન આપે છે. સુરત ગ્રામ્ય પોલીસ સુત્રો અને રેલ્વે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બનાવને સૌ પ્રથમ જોનાર રેલ્વે કર્મચારી સુભાષ પોદ્દાર આરોપી છે.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતના કીમ-કોસંબા (Kim-Kosamba) વચ્ચે મોટો રેલ્વે અકસ્માત સર્જવાનું કાવતરું નિષ્ફળ જતાં કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ ઘટના પર વિશેષ ધ્યાન આપે છે. સુરત ગ્રામ્ય પોલીસ સુત્રો અને રેલ્વે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બનાવને સૌ પ્રથમ જોનાર રેલ્વે કર્મચારી સુભાષ પોદ્દાર આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ પ્લાન ઘડ્યો હતો. તેણે જાતે જ પેડ લોક કાઢી નાખ્યું હતું. NIAએ પહેલા સુભાષ પર શંકા કરી, કારણ કે, એક સામાન્ય માણસ આટલી ઝડપથી પેડ લોક દૂર કરી શકતો નથી. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે ત્યાંથી ત્રણ ટ્રેન પસાર થઈ હતી. પરંતુ ત્રણેય ટ્રેનના પાયલોટને કંઈપણ શંકાસ્પદ દેખાયું ન હતું. ઘટનાસ્થળે પગના નિશાન કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. તેથી NIAને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યા છે.

આરોપીએ સોશિયલ મીડિયા પર ફેમસ થવા, પ્રમોશન મેળવવા અને આવી ઘટનાઓ અંગે જાગૃતિ લાવવા માટે રેલવે તરફથી વિશેષ પુરસ્કાર મેળવવા માટે આવું કર્યું છે. આવા વિશેષ કાર્યક્રમોમાં અકસ્માતો ટાળવા માટે પુરસ્કાર આપવામાં આવે છે. આરોપીએ અંગત લાભ માટે આ કર્યું છે. એટલું જ નહીં, જો લાંબા સમય સુધી પેટ્રોલિંગ કરવામાં આવે તો રજાઓ પણ લાંબી થઈ જાય છે. આ તમામ હેતુઓને ધ્યાનમાં રાખીને આરોપીએ આ કૃત્ય આચર્યું હતું. ATS અને NIA પણ આ અંગે તપાસ કરી રહી છે. સુરત એલસીબી અને એસઓજીએ જિલ્લામાંથી ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, ત્યારે કીમ-કોસંબા વચ્ચેના કીમ બે બ્રિજ પર ત્રણ અજાણ્યા શખ્સો ફરતા જોવા મળ્યા હતા અને અપલાઇન પરના રેલ્વે ટ્રેકના તાળા (ઇલાસ્ટીક રેલ ક્લિપ) અને ફિશપ્લેટ હટાવી આખી ટ્રેન ઉથલાવી દેવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું. 71 ERS અને બે JOGS ફિશપ્લેટને દૂર કરીને ટ્રેક પર સ્થાપિત કરવામાં આવી હતી. સુભાષ પોદ્દારે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ રેલ્વે કર્મચારી સુભાષ પોદ્દારની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. જ્યારે કીમ સ્ટેશનના માસ્ટરને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક કોસંબા રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. તપાસ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા સુભાષ પોદ્દારે કહ્યું કે તેણે ત્રણ અજાણ્યા લોકોને રેલવે ટ્રેક પર ફરતા જોયા છે. તપાસ એજન્સીઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે સવારે લગભગ 5.20 વાગ્યે ટ્રેક પર અજાણ્યા લોકોને જોયા બાદ તેઓ તરત જ બૂમો પાડતા ભાગી ગયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો 

આ સમગ્ર ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા એનઆઈએ અને એટીએસની ટીમ તરત જ કીમ પહોંચી અને તપાસ શરૂ કરી. NIA અને ATSએ આરોપી પાસે ટેકનિકલ માહિતી કેવી રીતે હતી તે ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે, તેણે ટ્રેક પર લગાવેલા સાધનોને તોડ્યા ન હતા. ઊલટાનું, રેલવેના કર્મચારીની જેમ તેણે એક પછી એક સાધનો કાઢી નાખ્યા. એજન્સી માને છે કે આરોપીઓ પાસે આ ઉપકરણોને દૂર કરવાની તકનીકી જાણકારી છે અથવા કોઈએ તેમને આ સંદર્ભમાં નિર્દેશ આપ્યો હોઈ શકે છે. એજન્સી આ દિશામાં પણ તપાસ કરી રહી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મામલાની સતત નજર રાખવામાં આવી રહી છે. સંપૂર્ણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થાય તે પહેલા જ આ બંને ટ્રેનો ત્યાંથી પસાર થઈ ગઈ હતી, આ સમગ્ર મામલે રેલવેના તપાસકર્તા સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ સવારે 5.24 વાગ્યે થઈ હતી, તેથી સૌથી પહેલા એ જોવામાં આવી રહ્યું છે કે કઈ ટ્રેનો પહેલા પસાર થઈ હતી. આ રેલ્વેને સવારે 5.24 વાગ્યે ફિશ પ્લેટ ખોલવાની માહિતી મળે તે પહેલા જ આ ટ્રેનો પસાર થઈ હતી. તેમાં 12952 દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસ અને 14808 ડાઉન દાદર ભગત કી કોઠીનો સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં સવાર લોકો પાયલટને કશું શંકાસ્પદ જણાયું ન હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 4.38 થી સવારે 5 વાગ્યાની વચ્ચે અપ-ડાઉન લાઇન પરથી પસાર થતી આ ટ્રેનોના લોકો પાઇલટ્સે કીમ-કોસંબા વચ્ચેના ટ્રેક પર કોઈ શંકાસ્પદ વ્યક્તિને જોયો ન હતો. આ સમય દરમિયાન આ ટ્રેનો તેમની નિર્ધારિત ગતિએ અહીંથી રવાના થઈ હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 71 પેડલોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે, આથી શંકા છે કે, પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યાં હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડ્યંત્રની સૌથી મહત્ત્વની ફિશપ્લેટ સવારે 5 થી 5.20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર રાખવામાં આવી હશે. પહેલા પેડલોક હટાવવા અંગે શંકા છે. પરંતુ 20 મિનિટમાં ફિશપ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં આ શખસોએ રાત્રે 3 વાગ્યાથી વધુ સમય પછી એક પછી એક લોક ખોલ્યાં હશે અને ટ્રેન આવી ત્યારે છુપાઈ ગયા હશે. જ્યારે તેણે સવારે 5 થી 5.20 વાગ્યાની વચ્ચે ફિશપ્લેટ ખોલીને તેને ટ્રેક પર રાખી હતી, જે સમયસર ગેંગમેનની નજરમાં આવી હતી. જો અનુભવી વ્યક્તિ અને પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ હોય તો જ 30 મિનિટમાં બે ફિશપ્લેટ ખોલી શકાય છે. આ ઘટનામાં એક કિમીના અંતરે બે ફિશપ્લેટ અને 78 પેડલોક દૂર કરવામાં આવ્યાં હતાં. આ પ્રવૃત્તિમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. ટ્રેક પર આટલો લાંબો સમય કામ કરવું શક્ય નથી. આથી આ કામ ટૂંક સમયમાં જ થઈ જાય તેવી શક્યતા છે.

આરોપીઓએ રેકી કરી 

આ સમગ્ર મામલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, અમે 140 પોલીસકર્મીઓની ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છીએ. ડ્રોનની પણ મદદ લઈ રહ્યા છીએ. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે, આરોપીઓ ટેક્નિકલ નોલેજ ધરાવે છે એ આ વાત પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તેઓએ રેલવેનાં સાધનો તોડ્યાં નથી પરંતુ કાઢ્યાં છે. ઘટનાને અંજામ કઈ રીતે આપવાની છે તે માટે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે. આરોપીઓ ટેક્નિકલ નોલેજ ધરાવે છે. જેથી અનેક શંકાઓ જાય છે. આ અંતર્ગત પણ અમે તપાસ કરી રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં રેલ્વે ટ્રેકના થાંભલા પર યુવક ચડીને મચાવ્યો હંગામો, સફળ રેસ્ક્યુ થયું

આ પણ વાંચો: સુરતના કીમ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો, મુસાફરો કીમ રેલ્વે ફાટક તેમજ ટ્રેક પર ઉતરી આવ્યા

આ પણ વાંચો: સુરતમાં ભાંગફોડિયા તત્વોનો ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ