Not Set/ એક્ટ્રેસ સેજલ શર્માએ કરી આત્મહત્યા, નજીકના મિત્રએ જણાવ્યું કારણ

‘દિલ તો હેપી હૈ જી’ની ફેમ ટીવી અભિનેત્રી સેજલ શર્માએ શુક્રવારે તેના મીરા રોડ નિવાસસ્થાન મુંબઇ ખાતે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ પંખા પર ઓઢણીથી લટકતો જોવા મળ્યો હતો. સેજલ મૂળ ઉદેપુર (રાજસ્થાન) ની છે, તે તેના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ 2017 માં મુંબઇ આવી હતી. સુસાઇડ નોટમાં તેણે આત્મહત્યાના કારણોને ડિપ્રેશન ગણાવ્યા છે. સેજલ […]

Top Stories Entertainment

‘દિલ તો હેપી હૈ જી’ની ફેમ ટીવી અભિનેત્રી સેજલ શર્માએ શુક્રવારે તેના મીરા રોડ નિવાસસ્થાન મુંબઇ ખાતે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ પંખા પર ઓઢણીથી લટકતો જોવા મળ્યો હતો. સેજલ મૂળ ઉદેપુર (રાજસ્થાન) ની છે, તે તેના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ 2017 માં મુંબઇ આવી હતી. સુસાઇડ નોટમાં તેણે આત્મહત્યાના કારણોને ડિપ્રેશન ગણાવ્યા છે.

Image result for sezal sharma

સેજલ મીરા રોડ પર રોયલ નેસ્ટ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે એડમાં આમિર ખાન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સાથે કામ કર્યું હતું. તે ‘આઝાદ પરીંદે’ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. તેને ‘દિલ તો હેપી હૈ જી’માં ટીવી સિરીયલ્સની દુનિયામાં પહેલો બ્રેક મળ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે- એક મધ્યમ વર્ગના કુટુંબમાંથી હોવાથી, પરિવારને અભિનયની કારકીર્દિ માટે સહમત થવું મુશ્કેલ હતું. તે શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ હતી.

Image result for sezal sharma

સેજલે સ્ટાર પ્લસ પર પ્રસારિત ‘દિલ તો હેપી હૈ જી’માં સિમ્મી ખોસલાની ભૂમિકા ભજવી હતી. સિમ્મી શોના મુખ્ય પાત્ર અંશ બાગરી ઉર્ફ રોકીની બહેન હતી. એવું કહેવામાં આવે છે કે સેજલ તેની પર્સનલ લાઇફમાં ખૂબ જ પરેશન હતી. ગુરુવારે મોડી રાત્રે તેણે તેના મિત્રો સાથે ફોન પર લાંબી ચેટ કરી હતી. સુસાઇડ નોટમાં પણ તેણે પોતાના મોતનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. તે દોઢ મહિના સુધી ડિપ્રેશનમાં હતી. અકસ્માત મૃત્યુ અહેવાલ હેઠળ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Sejal Sharma

સેજલના નજીકના મિત્ર અને અભિનેતા નિર્ભય શુક્લાએ એક ખુલાસો કર્યો છે. સેજલની આત્મહત્યા બાદ નિર્ભય શુક્લાએ કહ્યું કે, ‘સેજલ તેના પિતાની ખરાબ તબિયતને કારણે તાણવમાં હતી. મેં તેને 15 નવેમ્બરના રોજ મેસેજ કર્યો અને તેમને મળવાનું કહ્યું. તેણે જણાવ્યું કે તે ઉદયપુર જઈ રહી છે. જ્યારે મેં આનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે. સેજલના પિતા ઘણા સમયથી બીમાર હતા. તે કેન્સરથી ગ્રસ્ત હતા. હાર્ટ એટેકના સમાચારોએ તેને હચમચાવી દીધી હશે. હું તેની પાસેથી અપડેટ લેતો રહ્યો. તેણે કહ્યું હતું કે પિતાની હાલત સુધરે છે. પણ બધુ ઠીક ન હતું. અને પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.