ચંદીગઢ,
ભારતીય સરહદની પાસે સોમવારે સવારે ત્રણ વાગે એક ડ્રોન અને ચાર પાકિસ્તાની એફ-16 વિમાન પસાર થયા હતા. સૂત્રો અનુસાર ભારતીય રડારે ભારતીય સરહદ પાસે સવારે 3 વાગ્યે એક ડ્રોન અને 4 F 16 લડાકુ જેટ પસાર થયા હોવાની પુષ્ટિ કરી હતી. ભારતે તેને ખદેડવા માટે સુખોઇ 30 અને મિરાજ ફાઇટર જેટને મોકલ્યાં હતા, જે બાદ પાકિસ્તાની જેટનો કાફલો તેની સીમામાં પરત ફર્યો હતો.
Sources: At 3 AM today, Indian radars detected a large sized UAV & package of 4 Pakistani F-16s flying close to Indian border in Khemkaran sector in Punjab. India scrambled Su-30MKIs & Mirage jets in response after which the Pakistani jets retreated further into their territory. pic.twitter.com/ZKTbw8zPZo
— ANI (@ANI) April 1, 2019
જણાવી દઇએ કે અગાઉ પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના પર હુમલો કરવા માટે એફ-16 લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો હતો. પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર હવાઇ હુમલો કર્યો હતો. એ પછીના જ દિવસે પાકિસ્તાને ભારતીય સૈન્યના કેમ્પ પર હુમલો કર્યો હતો.
