Not Set/ TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશ નજરકેદ

આંધ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશને બુધવારે સત્તારૂઢ જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધ તેલુગુદેશમ પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી મેગા એટમાકુર રેલીને લઈને નજરકેદ કરવામાં આવ્યા હતા. ટીડીપીએ સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી પર રાજકીય હિંસા માટે લલચાવવાનો આરોપ લગાવ્યો છે. Telugu Desam Party (TDP) Chief N Chandrababu Naidu and his son, […]

Top Stories India

આંધ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશને બુધવારે સત્તારૂઢ જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધ તેલુગુદેશમ પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી મેગા એટમાકુર રેલીને લઈને નજરકેદ કરવામાં આવ્યા હતા. ટીડીપીએ સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી પર રાજકીય હિંસા માટે લલચાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમાં આરોપ લાગવામાં આવ્યો છે કે વાયએસઆરસીપી કેડરોએ ટીડીપીના આઠ કાર્યકર્તાઓની હત્યા કરી હતી અને અનેક હુમલા કર્યા હતા. પક્ષે દાવો કર્યો છે કે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રાજ્યના પલનાડુ ક્ષેત્રમાં હિંસક ઘટનાઓ વધી ગઈ છે.

નાયડુ અને તેના રાજકીય હરીફ બંનેએ આજે અમરાવતીથી 240 કિલોમીટર દૂર આતામકુરમાં કૂચ કરવાની હાકલ કરી છે. વાયએસઆરસીપીના વરિષ્ઠ નેતા અંબાતી રામબાબુએ કહ્યું કે, વાયએસઆરસીપી તે જ દિવસે (બુધવારે) ટીડીપીના ખોટા પ્રચારનો સામનો કરવા માટે ‘ચલો આત્તમાકુર’ રેલી યોજશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.