- ભારતને મળી વધુ એક કોરોના વેક્સિન
- રશિયાની સ્પુતનિક વી વેક્સિનને અપાઇ મંજૂરી
- સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વેક્સિનને આપી મંજૂરી
- સ્પુતનિક વેક્સિનના ટ્રાયલ ડેટા સરકારને અપાયા
- સાંજ સુધી મંજૂરી પર અંતિમ મહોરની શક્યતા
- સ્પુતનિક વેક્સિને હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબ સાથે કર્યા છે કરાર
- ડૉ. રેડ્ડીએ દેશભરમાં વેક્સિનનું કર્યું પરીક્ષણ
કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે વેક્સિન પર સૌ કોઇની નજર છે. આ વચ્ચે હવે ભારતમાં ત્રીજી વેક્સિનને પણ મંજૂરી મળી ગઇ છે. સોમવારે, વેક્સિન કેસની વિષય નિષ્ણાત સમિતિ (એસઈસી) એ રશિયાની સ્પુતનિક વી. ને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ કે હવે આ રસીનો ઉપયોગ ભારતમાં થઈ શકે છે.
રાજકારણ / કેન્દ્ર સરકાર ભાષણબાજી દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે : ચિદમ્બરમ
જો સૂત્રોનું માનીએ, તો ટ્રાયલનો ડેટા સ્પુટનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા સાંજ સુધી જ પરિસ્થિતિનો ખુલાસો કરી શકાય છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં સ્પુતનિક વી ઉપર હૈદરાબાદનાં ડો રેડ્ડી લેબ્સનાં સહયોગથી ટ્રાયલ કરવામાં આવેલ છે અને તેનું નિર્માણ તે સાથે જ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, વેક્સિનની મંજૂરી પછી, ભારતમાં વેક્સિનનો અભાવ હોવાની ફરિયાદો ઘટી શકે છે. સ્પુતનિક વી ને ભારતમાં સંકટનાં ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. આવી સ્થિતિમાં સોમવારે સબ્જેક્ટ નિષ્ણાત સમિતિ દ્વારા આ વેક્સિનની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Subject Expert Committee approves Dr Reddy's application for emergency use authorisation to Sputnik V: Sources#COVID19 pic.twitter.com/U2wsCQTNY0
— ANI (@ANI) April 12, 2021
‘કોરોના’ સંજીવની / તો શું..! સરકારે પાછલા છ મહિનામાં ‘રેમડેસિવિર’ના ૧૧ લાખ ઇન્જેક્શન બહાર મોકલી દીધા !
સ્પુતનિક-વી એ ગેમાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી હતી, આ પણ એસ્ટ્રાઝેનેકાની જેવી જ બે ડોઝવાળી વેકે્સિન છે. જો કે, આ વેક્સિન સંબંધિત સૌથી મોટો પડકાર એ તેનો સંગ્રહ છે. સ્પુતનિક-વી ને -18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવું પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
