Jamnagar News : જામનગરમાં માઉન્ટેડ પોલીસ વિભાગમાં 3 અશ્વોના ભેદી મોત નીપજ્યા છે. સપ્તાહમાં 3 અશ્વોના મોત થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જેમાં ચેતક, હરણી અને સરિતા નામના 3 અશ્વોના મોત થયા છે. બનાવને પગલે પશુ ચિકિત્સકની 3 ટીમોએ અશ્વોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
બાદમાં સેમ્પલને પૃથક્કરણ માટે અમદાવાદ-હરિયાણાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેનો અહેવાલ આવ્યા બાદ તેમના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે.
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારી, દર્દીઓ પાસે સગા વ્હાલા નહીં પણ ઉંદરો….
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ બંધ કરવાના આરોગ્ય મંત્રીના આદેશોનું ઉલ્લંઘન
