Viral Photo/ કપિલ ગુર્જરનો AAP કનેક્શન ફોટો વાયરલ થયા બાદ સંજયસિંહે આપી આવી પ્રતિક્રિયા

નાગરિકતા સુધારો કાયદાને લઈને દિલ્હીનાં શાહીન બાગમાં સતત વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે દિલ્હી ક્રાઇમ બ્રાંચે શાહીન બાગમાં કપિલ ગુર્જર ફાયરિંગ અંગે ખુલાસો કર્યો છે અને તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર ગણાવ્યો છે. ક્રાઈમ બ્રાંચે કેટલાક ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા હતા, જે તપાસ દરમિયાન સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ આમ […]

Top Stories India

નાગરિકતા સુધારો કાયદાને લઈને દિલ્હીનાં શાહીન બાગમાં સતત વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે દિલ્હી ક્રાઇમ બ્રાંચે શાહીન બાગમાં કપિલ ગુર્જર ફાયરિંગ અંગે ખુલાસો કર્યો છે અને તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર ગણાવ્યો છે. ક્રાઈમ બ્રાંચે કેટલાક ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા હતા, જે તપાસ દરમિયાન સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ખુલાસા બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આપ નેતા સંજયસિંહે તેને ભાજપનું ગંદું રાજકારણ ગણાવ્યું છે. સંજયસિંહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમિત શાહ દેશનાં ગૃહ મંત્રી છે, તેથી ચૂંટણી પહેલા ફોટા અને કાવતરાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં મતદાનનાં હજી થોડા દિવસો બાકી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ જેટલું ઇચ્છે તેટલું રાજકારણ કરશે.

સંજયસિંહે કહ્યું કે, જો કોઈની તસવીર કોઈની સાથે હોય તો તેનો શું અર્થ નિકળે છે. કપિલ ગુર્જરનો આમ આદમી પાર્ટી સાથે સંજયસિંહનો કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે, જો ધ્રુવ સક્સેના સાથે મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો ફોટો બહાર આવે છે, તો શું તે આઈએસઆઈનો એજન્ટ બની ગયા? તેમણે કહ્યું, યોગી સાથે ચિન્મયાનંદનો ફોટો આવ્યા પછી શું યોગી બળાત્કારી બની ગયા હતા? નોંધપાત્ર વાત એ છે કે શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનું નામ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલું છે. પૂછપરછ દરમિયાન કપિલે કહ્યું કે, તે અને તેના પિતા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2019 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.