New Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે પરંતુ ED કેસમાં તેને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે.
સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.
#WATCH | On Supreme Court granting interim bail to CM Arvind Kejriwal, CM Kejriwal’s lawyer Rishikesh Kumar says, “The Supreme Court has granted him interim bail and the issue of section 19 and necessity of arrest has been referred to a larger bench. CM Kejriwal will remain in… pic.twitter.com/et9ectf34R
— ANI (@ANI) July 12, 2024
કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં CBI કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.
કોર્ટે શું કહ્યું?
કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસથી વધુ સમયથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: ફતેહપુરમાં યુવકને 9મી વખત સાપ નહીં છોડે, વિચિત્ર ઘટનાથી વિકાસ દુબે પરેશાન…
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
આ પણ વાંચો: ભણવું તો પડશે….ભણ્યા વિના વકીલ કેવી રીતે બનશો? CJIએ લોના વિદ્યાર્થીઓને સલાહ આપી
