IPL 2025 : IPL 2025 માં 6 એપ્રિલે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચની તારીખ બદલવામાં આવી છે. હવે આ મેચ 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે બપોરે 3:30 વાગ્યાથી રમાશે. આ IPL 2025 ની 19મી મેચ હશે, જેની તારીખ અગાઉ 6 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. કોલકાતા-લખનૌ મેચની તારીખ બદલવાના સમાચાર ખુદ બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આપ્યા છે.
શુક્રવારે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને એક માંગ કરી હતી, જેમાં રામ નવમી નિમિત્તે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે માંગ કરવામાં આવી હતી. તે માંગને પગલે, કોલકાતા-લખનૌ મેચ હવે 8 એપ્રિલે બપોરે 3:30 વાગ્યે યોજાશે. બાકીના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.”
6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે
IPL 2025 ના સમયપત્રકમાં ફેરફાર પહેલા, 6 એપ્રિલે એટલે કે રામ નવમીના દિવસે બે મેચ રમવાની હતી. લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ બપોરે રમાવાની હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ સાંજે રમાવવાની હતી. KKR-LSG મેચની તારીખ બદલીને 8 એપ્રિલ કરવામાં આવી હોવાથી, હવે ફક્ત 6 એપ્રિલે હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત મેચ જ રમાશે.
૮ એપ્રિલે ડબલ ધમાલ
એક તરફ, કોલકાતા-લખનૌ મેચ હવે 8 એપ્રિલે બપોરે રમાશે. તે જ દિવસે, સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ પણ એક્શનમાં જોવા મળશે, જેનો મુકાબલો પંજાબ કિંગ્સ સાથે થશે. તમને જણાવી દઈએ કે લખનૌ અને કોલકાતાએ અત્યાર સુધી IPL 2025 માં બે-બે મેચ રમી છે અને બંનેએ અત્યાર સુધીમાં એક-એક જીત મેળવી છે.
આ પણ વાંચો: બોલ વિરાટ કોહલીના હેલ્મેટ પર વાગ્યો, પછી તેણે બોલર પાસેથી આ રીતે બદલો લીધો, CSK ને 197 રનનો ટાર્ગેટ આપ્યો
આ પણ વાંચો: CSK vs RCB વચ્ચે આજે રોમાંચક મેચ, કોણ મારશે બાજી, CSK કે RCB, જાણો આંકડા શું કહે છે ?
આ પણ વાંચો: લખનૌએ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, માર્શ-પુરાણે ધમાલ મચાવી, શાર્દુલે 4 વિકેટ લીધી