દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સીબીઆઈના દરોડા વચ્ચે અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તેમણે 12 IAS અધિકારીઓની બદલી કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના આદેશ પર, દિલ્હી સેવા વિભાગના નાયબ સચિવ અંજુ મંગલા દ્વારા તમામ IAS અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા પદ સંભાળવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. કેટલાક IAS અધિકારીઓને વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
Lt Governor of Delhi orders transfers of 12 IAS officers, with immediate effect pic.twitter.com/yuZA4NIAOS
— ANI (@ANI) August 19, 2022
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર પર દરોડા બાદ હવે સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરની માહિતી પણ સામે આવી છે. આ FIRમાં આરોપી ડેપ્યુટી સીએમ સિસોદિયાને નંબર વન બનાવવામાં આવ્યા છે. આ પછી IAS આરવ ગોપી કૃષ્ણને આરોપી બનાવવામાં આવ્યા છે. FIRમાં કુલ 16 લોકોની સાથે એક કંપનીને પણ આરોપી બનાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે CBIએ ગયા વર્ષે નવેમ્બરમાં લાવવામાં આવેલી દિલ્હી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં FIR નોંધી છે.