વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદના શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં આપેલા ભાષણના 125 વર્ષ પૂરાં થવા પર અને પંડિત દીનદલયાલ ઉપાધ્યાયના શતાબ્દી સમારોહના અવસર પર વિજ્ઞાન ભવનમાં યુવાનોને સંબોધિત કર્યાં હતાં. નરેન્દ્ર મોદી આજે દેશભરની યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓને સ્પીચ આપી. મહત્વનું છે કે આ લાઈવ ટેલીકાસ્ટ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પહેલા જ સર્કયુલર જાહેર કર્યું હતું. પીએમ મોદી તેમની સ્પીચમાંં કહેતા જોવા મળ્યાં કે, વિશ્વને 2001 પહેલા જાણ ન હતી કે 9/11નું શું મહત્વ છે. જો 125 વર્ષ પહેલાની વિવેકાનંદજીનું ભાષણ યાદ રાખ્યું હોત તો 9/11 ન થઈ હોત. આ ઉપરાંત મોદીએ કહ્યું કે આપણને પાનની પિચકારી જમીન પર થૂંકીને વંદે માતરમ બોલવાનો હક નથી. વંદે માતરમ બોલવાનો હક દેશના સફાઈ કામદારોને છે.