મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ શનિવારે કહ્યું હતું કે નવા ભારતની સાથે સાથે એક નવા ‘રાષ્ટ્રપિતા’ ની પણ જન્મ થયો છે, પરંતુ મહાત્મા ગાંધી ક્યારેય આવા દેશના પિતા ના બને.તેમણે હાલમાં જ રાષ્ટ્રપિતાના અસ્થિ કળશની મધ્યપ્રદેષ્મથી ચોરી ની ઘટનાને બહુજ શરમ જનક ઘટના તરીકે ગણાવી હતી. અને આ ઘટના અંગે મૌન સાધવા બદલ કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશની સરકાર ની આલોચના પણ કરી હતી. તુષાર ગાંધી એ કહ્યું કે આ ઘટના છેલ્લા સાત દાયકાથી રાજ કરી રહેલા રાજકીય પક્ષો દ્વારા મહાત્માની છબીને નુકસાન પહોંચાડવાની યોજનાબદ્ધ આયોજન છે.
રિવાના લક્ષ્મણબાગ ઇન્સ્ટિટ્યૂટનાં બાપુ ભવન ખાતે ગાંધી જયંતિ પ્રસંગે, કોઈ અજાણ્યા શખ્સે મહાત્મા ગાંધીની છબી ઉપર ‘દેશરોહી’ લખ્યું હતું અને તેમના અસ્થિ કળશની ચોરી કરી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પત્રકારો સાથે વાત કરતા તુષારે કહ્યું કે આ મામલે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર મૌન છે, જે મહાત્માના અસ્થિકળશ ની ચોરી કરતા વધુ પીડાદાયક છે.
More than 48 hours since Bapu’s ashes were stolen from memorial at Rewa & his photo defaced. Chicken Indian Media is scared to report. CM MP is silent. Congress is silent. Father of New India is silent too.
— Tushar Gandhi (@TusharG) October 4, 2019
આ પણ વાંચો મહાત્મા ગાંધીનાં અસ્થિ કળશની ચોરી, બાપુની તસવીર પર લખ્યું …
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
