ધર્મ વિશેષ/ મહાશિવરાત્રીના દિવસે ફરારમાં બનાવો સફરજનની મીઠી ખિચડી,નોધી લો રેસીપી

11 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે. વ્રત દરમ્યાન જો તમને કોઈ મીઠું ખાવાનું મન થાય તો તમે વ્રતની સ્વાદિષ્ટ સફરજનની ખીચડી બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ […]

Food Dharma & Bhakti Navratri 2022

11 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે. વ્રત દરમ્યાન જો તમને કોઈ મીઠું ખાવાનું મન થાય તો તમે વ્રતની સ્વાદિષ્ટ સફરજનની ખીચડી બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ ખીચડી સ્વસ્થ છે અને માત્ર 10 મિનિટમાં તૈયાર કરી શકાય છે. નોધી લો કેવી રીતે બનાવીશું

સામગ્રી

સફરજન – 2 (નાના કટકાકરેલા )

મગફળી – 1/4 કપ

દેશી ઘી – 2 ટીસ્પૂન

જીરું – 1 ચમચી

– લીલા મરચા – 2 (બારીક સમારેલા)

– લાલ મરચું પાવડર – 1 ચમચી

લીંબુનો રસ – 1 ચમચી

– મીઠું – 1 ચમચી

કઈ રીતે બનાવવી?

સફરજનની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક પેન રાખો અને તેમાં એક ચમચી ઘી નાંખો અને થોડો સમય ગરમ થવા દો. તે પછી  પેનમાં  મગફળી નાંખો અને 2-3 મિનિટ માટે ફ્રાય કરો, તેને પ્લેટમાં બહાર કાઢો અને એક બાજુ રાખો. હવે શેકેલા મગફળીને મિક્સરમાં નાંખો અને બરાબર પીસી લો.

હવે એ જ પેનમાં બાકી રહેલા ઘીમાં જીરું અને લીલા મરચા નાખો અને તે હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી પાનમાં બારીક સમારેલા સફરજન નાખો. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન ગેસની જ્યોત ધીમી હોવી જોઈએ. હવે એકવાર સફરજનને હલાવો, તેમાં લાલ મરચું પાવડર અને પથ્થર મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.