NEET exam/ મોદી સરકારના શિક્ષણ મંત્રીનો NTAના NEET કૌભાંડને ઢાંકપીછોડો કરવાની કવાયત શરૂઃ ખડગે

જો NEET માં પેપર લીક ન થયું હોય તો પેપર લીકના કારણે બિહારમાં 13 આરોપીઓની શા માટે ધરપકડ કરવામાં આવી?

Gujarat Rajkot

ખડગેના સવાલો

જો NEET માં પેપર લીક ન થયું હોય તો –

  1. પેપર લીકના કારણે બિહારમાં 13 આરોપીઓની શા માટે ધરપકડ કરવામાં આવી?

શું પટના પોલીસના આર્થિક ગુના એકમ (EOU) એ શિક્ષણ માફિયા અને રેકેટમાં સામેલ સંગઠિત ગેંગને કાગળોના બદલામાં ₹30-₹50 લાખની ચૂકવણીનો પર્દાફાશ કર્યો નથી?

  1. શું ગુજરાતના ગોધરામાં NEET-UG છેતરપિંડી રેકેટનો પર્દાફાશ થયો છે?

જેમાં કોચિંગ સેન્ટર ચલાવતી વ્યક્તિ, એક શિક્ષક અને અન્ય એક વ્યક્તિ સહિત 3 લોકો સંડોવાયેલા છે અને ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વચ્ચે 12 કરોડથી વધુની લેવડદેવડ પ્રકાશમાં આવી છે?

જો મોદી સરકાર મુજબ NEET માં કોઈ પેપર લીક થયું ન હતું તો આ ધરપકડો શા માટે કરવામાં આવી? આમાંથી શું તારણ નીકળ્યું?

મોદી સરકાર પહેલા દેશની જનતાની આંખમાં ધૂળ નાખી રહી હતી કે હવે?

મોદી સરકારે 24 લાખ યુવાનોની આકાંક્ષાઓનું ગળું દબાવવાનું કામ કર્યું છે. NEET માં, 24 લાખ યુવાનો ડૉક્ટર બનવા માટે પરીક્ષા આપે છે, જેમાં તેઓ 1 લાખ મેડિકલ સીટ માટે દિવસ-રાત મહેનત કરે છે. આ 1 લાખ બેઠકોમાંથી, લગભગ 55,000 સરકારી કોલેજોની બેઠકો છે જ્યાં SC, ST, OBC, EWS કેટેગરીની બેઠકો અનામત છે.

આ વખતે મોદી સરકારે NTAનો દુરુપયોગ કર્યો છે અને માર્ક્સ અને રેન્કમાં ભારે ગોટાળા કર્યા છે જેના કારણે અનામત સીટો માટે કટ ઓફ પણ વધ્યો છે. એવું લાગે છે કે ગુણવાન વિદ્યાર્થીઓને રાહત દરે સરકારી પ્રવેશથી વંચિત રાખવા માટે ગ્રેસ માર્ક્સ, પેપર લીક અને હેરાફેરીની રમત રમાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી, પાકિસ્તાની આતંકવાદીઓ રચી રહ્યા છે ષડયંત્ર

આ પણ વાંચો:વિદેશી નાગરિકોએ પણ ચારધામ યાત્રાને લઈ કરાવ્યું રજીસ્ટ્રેશન

આ પણ વાંચો: GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડિઝલને લઈને થશે મોટો ફેંસલો ?