Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મૈનપુરીમાંથી (Mainpuri) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં નાના બાળકને માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ગ 2 ના વિદ્યાર્થીને કથિત રૂપે એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેના શિક્ષક દ્વારા વર્ગમાં ન આવવા બદલ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેના આખા શરીર પર ઈજાના નિશાન દેખાય છે. ઘરે પરત ફર્યા પછી, આઠ વર્ષના છોકરાએ તેના પરિવારને કહ્યું કે શિક્ષકે તેને ધમકી આપી છે. શિક્ષકે કહ્યું કે જો તેને હુમલા વિશે કોઈને કહ્યું તો તે તેને મારી નાખશે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં નાના બાળકને માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ગ 2 ના વિદ્યાર્થીને કથિત રૂપે એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેના શિક્ષક દ્વારા વર્ગમાં ન આવવા બદલ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેના આખા શરીર પર ઈજાના નિશાન દેખાય છે. ઘરે પરત ફર્યા પછી, આઠ વર્ષના છોકરાએ તેના પરિવારને કહ્યું કે શિક્ષકે તેને ધમકી આપી છે. શિક્ષકે કહ્યું કે જો તેને હુમલા વિશે કોઈને કહ્યું તો તે તેને મારી નાખશે.

પોલીસે માહિતી આપી હતી
કાર્યકારી પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બીએનએસની કલમ 115-2 (સ્વેચ્છાએ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાળકના પિતા રૂપેશ કુમાર ખેડૂત છે. પુત્ર પર હુમલાના મામલામાં તેમણે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે માર માર્યા બાદ બાળક ખૂબ ડરી ગયો છે. તેણે કહ્યું કે મારો પુત્ર હવે શાળાએ જતાં ડરે છે.
શાળાના પ્રિન્સિપાલ સુખબીર સિંહે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રી માટે બહાર ગયા હતા. તેને આ ઘટનાની જાણ નહોતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરશે.

આ મામલો અગાઉ પણ સામે આવ્યો હતો
મહિનાની શરૂઆતમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જાનવર બની ગયેલા શિક્ષકે વિદ્યાર્થીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. મામલો બેવર પોલીસ સ્ટેશન વિસ્તારની એસસી યાદવ ઈન્ટર કોલેજનો હતો. આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. લીવરની બિમારીથી પીડિત વિદ્યાર્થીને તેના શિક્ષકે માત્ર એટલા માટે માર માર્યો હતો કારણ કે તે વર્ગમાં 10 મિનિટ મોડો પહોંચ્યો હતો. આ મામલે પીડિત વિદ્યાર્થી અને તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
માર મારવા પર પ્રતિબંધ છે

શાળાઓમાં બાળકોને મારવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં શિક્ષકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બાળકોને કોઈ પણ સંજોગોમાં શારીરિક સજા આપી શકાય નહીં. આવા કિસ્સામાં શિક્ષકો સામે કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોને અભ્યાસ સાથે જોડવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકોને પ્રેમ સાથે અભ્યાસ સાથે જોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હુમલાની ઘટના સામે આવ્યા બાદ હવે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
