Not Set/ ઇન્કમટેક્સે આપને ૩૦ કરોડ રૂપિયાની નોટીસ ફટકારી, જાણો કેમ?

આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી ડોનેશનના સ્વરૂપમાં મળતા દાન અંગે માહિતી આપવામાં કથિત ઉલ્લંઘન બદલ એક નોટીસ પાઠવવામાં આવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આપને ૩૦ કરોડ રૂપિયાના ટેક્સ અંગે આ નોટીસ પાઠવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આમ આદમી પાર્ટીને આ અંગે ૭ ડીસેમ્બર રોજ માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ […]

India

આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી ડોનેશનના સ્વરૂપમાં મળતા દાન અંગે માહિતી આપવામાં કથિત ઉલ્લંઘન બદલ એક નોટીસ પાઠવવામાં આવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આપને ૩૦ કરોડ રૂપિયાના ટેક્સ અંગે આ નોટીસ પાઠવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આમ આદમી પાર્ટીને આ અંગે ૭ ડીસેમ્બર રોજ માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ તેમની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમા પાર્ટીના સ્થાપનાના પાંચમી વર્ષગાંઠને એક રાજકીય સંગઠન તરીકે ગણાવ્યું હતું. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ, આપ દ્વારા કરદાતાઓને તેમની એકાઉન્ટ બુકમાં તેમજ ૨૦૧૪માં મળેલા દાન અંગેના રીપોર્ટમાં માહિતીમાં ચેડા કરવા બદલ ગેરસમજને સમજાવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.