મુંબઈ,
છેલ્લા કેટલાક સમયથી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈમારત ધરાસાયી થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે હવે આ જ પ્રકારે ગોરેગાંવમાં એક નિર્માણધીન બિલ્ડીંગ ધરાશાયી થઇ છે. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે જયારે ૬ લોકો ઘાયલ પણ થયા છે.
#Maharashtra: Death toll rises to 3 in the collapse of a portion of an under-construction building near Azad Maidan in Goregaon
— ANI (@ANI) December 23, 2018
માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ગોરેગાંવના એક ચોલ પાસે થઇ છે. જો કે ત્યારબાદ NDRF (નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત બચાવનું કાર્ય હાથ ધર્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઈમારત પડ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પાર રહેતા લોકો કાઠમાળમાં દટાયા છે. ત્યારબાદ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
કેટલાક લોકોનું કહેવું છે કે, “આ એક જૂની બિલ્ડીંગ હતી, જેમાં સમારકામ ચાલી રહ્યું હતું”.
