નવી દિલ્હી,
ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુનો પાકિસ્તાન પ્રવાસ વિવાદ ભર્યો જોવા મળી રહ્યો છે. શપથવિધિ સમારોહમાં સિદ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે સિદ્ધુને અટારી વાઘા બોર્ડર પરથી દેશમાં પાછા ફરવાની સાથે જ વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH: Punjab CM Capt Amarinder Singh reacts on #NavjotSinghSidhu hugging Pakistan Army Chief Qamar Javed Bajwa during Pakistan PM Imran Khan's swearing-in ceremony yesterday, says 'It was wrong for him to have shown the affection towards the Pakistan Army Chief' pic.twitter.com/WcVSYcqGlN
— ANI (@ANI) August 19, 2018
નવજોતસિંહ સિધ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવા અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરદિર સિંહે પણ સવાલો ઉઠાવતા તેને ખોટું ગણાવ્યું છે.

Everyday our jawans are getting martyred. To hug their Chief General Bajwa…I am against this. The fact is that the man should understand that our soldiers are being killed everyday: Punjab CM Capt Amarinder Singh on #NavjotSinghSidhu pic.twitter.com/VIZ6FVmlUb
— ANI (@ANI) August 19, 2018
અમરદિર સિંહે વધુમાં કહ્યું, “દરરોજ અમારા જવાનો શહીદ થઇ રહ્યા છે. વ્યક્તિને સમજવું જોઈએ કે, અમારા જવાનો બોર્ડર પર શહીદ થઇ રહ્યા છે. મારા પોતાના રેજિમેન્ટે એક મેજર અને બે જવાનોને ગત મહિનામાં ખોયા અને દરરોજ કોઈ ને કોઈ જવાન ગોળીઓના શિકાર બની રહ્યા છે. આ મામલે દોષ કોનો છે ? જે ગોળીઓ ચલાવી રહ્યા છે તે કે સેના પ્રમુખનો, જે ઓર્ડર આપે છે અને સેના પ્રમુખ બાજવા છે.
My own regiment lost 1 Major & 2 jawans a few months ago & everyday somebody is being shot & whether the man who pulled the trigger is to blame or the man who gives the order which is the chief, and the chief is General Bajwa: Punjab CM Capt Amarinder Singh on #NavjotSinghSidhu pic.twitter.com/qkYxZLFd6H
— ANI (@ANI) August 19, 2018
સિદ્ધુના ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થવા અંગે પંજાબના CMએ કહ્યું, “જ્યાં સુધી સિદ્ધુના શપથવિધિમાં શામેલ થવાની વાત છે તો ત્યાં તેઓ વ્યક્તિગત રીતે ગયા હતા અને પંજાબ સરકારનો આ સાથે કોઈ તર્ક નથી.

POKના રાષ્ટ્રપતિ સાથે સિદ્ધુના બાજુમાં બેસવા અંગે અમરદિર સિંહે, “હોઈ શકે છે તેઓને આ ખબર નહિ હોય કે તેઓ પીઓકેના રાષ્ટ્રપતિ કોણ છે”.
મહત્વનું છે કે, શનિવારે યોજાયેલી ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ POKના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં સિદ્ધુના બેસવા અંગે પણ સવાલો ઉભા થયા હતા.
બીજી બાજુ ભાજપ દ્વારા આ મામલે સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ બીજે કહ્યું, “જયારે પૂરો દેશ શોક મનાવી રહ્યો હોય ત્યારે સિધ્ધુ ધૂમધામથી શપથવિધિ સમારોહમાં ભાગ લે છે. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ નિશાન સાધતા કહ્યું હતું કે, “શું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવજોત સિધ્ધુને સસ્પેન્ડ કરશે ?”.
