Not Set/ મોદી સામે રાહુલ ગાંધી જીતી શકે એવી સ્થિતિ નથી : શરદ પાવર

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા 40 વર્ષથી મોટું માથું ગણાતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીઓમાં સત્તા પરિવર્તન થશે. એમણે કહ્યું કે, 2019માં ચૂંટણી પછી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહિ રહે. પવારે 2004માં થયેલી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવતા વર્ષે પણ આવી જ સ્થિતિ હશે. એમણે ઈશારો કર્યો કે, ફરી ગઠબંધન […]

Top Stories India Uncategorized

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા 40 વર્ષથી મોટું માથું ગણાતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીઓમાં સત્તા પરિવર્તન થશે. એમણે કહ્યું કે, 2019માં ચૂંટણી પછી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહિ રહે.

પવારે 2004માં થયેલી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવતા વર્ષે પણ આવી જ સ્થિતિ હશે. એમણે ઈશારો કર્યો કે, ફરી ગઠબંધન સરકાર બનશે.

વળી, પ્રધાનમંત્રી મોદી સાથે ગઠબંધન સરકાર પર પવારે જણાવ્યું કે, મોદીનું વ્યક્તિત્વ અટલ બિહારી વાજપેયી જેવું નથી. દેશ બદલાવની દિશામાં આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી બનવાના સવાલ પર પવારે જણાવ્યું કે, 2004માં મનમોહન સિંહ પ્રધાનમંત્રી આવું કોણે વિચાર્યું હશે. એવી રીતે કોઈ પણ પ્રધાનમંત્રી બની શકે છે, કોઈ એકનું નામ ન લઇ શકાય.

રાહુલ ગાંધી પર એમણે કહ્યું કે, આજે દેશની જે રાજનીતિક પરિસ્થિતિ છે, એમાં કોઈની વિરુદ્ધ કોઈને પ્રોજેક્ટ કરીને ચૂંટણી જીતી શકાય એવી સ્થિતિ નથી.