જયપુર,
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શનિવારે રાજસ્થાનમાં હતા.
આ દરમિયાન તેઓએ પહેલા એક ચૂંટણીના કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કર્યા હતા અને ત્યારબાદ પીએમ મોદી અને વર્તમાન મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈ નિશાન સાધ્યું હતું.
PMએ સર્જિકલ સ્ટ્રાઈકને એક પોલિટીકલ એસેટ બનાવ્યું
Rahul Gandhi in Udaipur, Rajasthan: What the Army would have liked was we'll do it, it's beneficial if nobody knows we did it. But Mr Modi didn't want that. He was fighting an election in UP & he was losing it. So he did it to turn a military asset into a political asset.
— ANI (@ANI) December 1, 2018
તેઓએ જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદી આર્મીના કાર્યક્ષેત્રમાં ઘુસ્યા અને સર્જિકલ સ્ટ્રાઈકને આકાર આપ્યો છે. તેઓએ સર્જિકલ સ્ટ્રાઈકને એક પોલિટીકલ એસેટ બનાવી દીધું છે, જયારે આ નિર્ણય આર્મીનો હતો”.
R Gandhi in Udaipur, Rajasthan: Do you know that like Mr Narendra Modi's surgical strike, Manmohan Singh ji did that 3 times? When Army came to Mr Manmohan Singh&said we need to retaliate against Pak for what they've done they also said we wanted to be secret,for our own purposes pic.twitter.com/t4lpJC5kti
— ANI (@ANI) December 1, 2018
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવતા કહ્યું, “શું તમને ખબર છે કે, નરેન્દ્ર મોદી સર્જિકલ સ્ટ્રાઈકની જેમ જ મનમોહન સિંહ સરકારે પણ ત્રણવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ?. પરંતુ સેના મનમોહન સિંહ પાસે આવી અને કહ્યું કે, અમારે પાકિસ્તાનને તેની કરતૂતોનો જવાબ આપવો પડશે. આ સાથે જ તેઓએ કહ્યું કે આ પ્લાન સિક્રેટ રાખવો પડશે”.
પીએમ મોદી કયા પ્રકારના હિંદુ છે
R Gandhi in Rajasthan: What is the essence of Hinduism? What does the Gita say? That knowledge is with everybody, knowledge is all around you. Every living being has knowledge. Our PM says he is a Hindu but he doesn't understand foundation of Hinduism. What kind of a Hindu is he? pic.twitter.com/5F0WclZvdW
— ANI (@ANI) December 1, 2018
બીજી બાજુ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વના જ્ઞાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું, “હિંદુ ધર્મનો સાર શું છે ? જ્ઞાન દરેક જગ્યાએ છે અને જ્ઞાન તમારી ચારેબાજુ છે. જે વ્યક્તિમાં જીવ છે, તેઓ પાસે જ્ઞાન છે. પરંતુ અમારા પ્રધાનમંત્રી કહે છે કે, તેઓ હિંદુ છે પણ ધર્મનો મતલબ તેઓ સમજતા નથી, તેઓ કયા પ્રકારના હિંદુ છે.
