New Delhi: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ આજે સંસદના સેન્ટ્રલ હોલમાં તેના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક યોજવાની છે. સૂત્રો મુજબ બેઠકમાં મહાગઠબંધન દ્વારા સરકાર રચવા પર ચર્ચા કરાશે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDAએ 293 બેઠકો જીતીને બહુમત મેળવી લીધી છે. જોકે, ભાજપ માત્ર 240 બેઠકો મેળવવામાં સફળ રહી.
આ પહેલા બુધવારે NDAમાં સામેલ પક્ષોના નેતાઓએ બેઠક કરી હતી અને સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ બાદમાં કહ્યું કે, તેઓ અમારા મૂલ્યવાન NDA સાથીઓને મળ્યા. એનડીએ વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરશે. બે્ઠક બાદ મોદી સાંસદો સાથે સાંજે રાષ્ટ્રપતિને મળશે તેવા અહેવાલ મળ્યા છે.
બુધવારની બેઠકમાં જ સાથી પક્ષોને કહેવામાં આવ્યું હતું કે કેબિનેટ વિભાજન અંગે એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે જેના પર સહમતિ સાધવામાં આવશે. આવી સ્થિતિમાં, પાંચ સભ્યો સુધીની પાર્ટીને એક મંત્રી પદ આપવામાં આવી શકે છે અને JDU અને TDP તેનાથી વધુ સંખ્યા ધરાવતા ત્રણ-ત્રણ મંત્રી પદ આપી શકે છે. જો કે, એવી અટકળો ચાલી રહી હતી કે આ પક્ષોએ ચાર મંત્રી પદની માગણી કરી છે અને ટીડીપીએ પણ લોકસભા અધ્યક્ષ પદની માંગણી કરી છે. બંને પક્ષોમાંથી કોઈએ પણ આ માંગણીઓ ઔપચારિક રીતે જણાવી નથી.
ભાજપના સૂત્રોના તરફથી જાણવા મળ્યું છે કે, એનડીએ ગઠબંધનનાં પક્ષો દ્વારા હજુ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી. શપથ ગ્રહણ સમારોહને લઈને ગુરુવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને એક લાંબી બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ બેઠકમાં તૈયારીઓની સાથે ચૂંટણીની સમીક્ષા પણ થઈ હતી.
આ પણ વાંચો:બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાનો ભય? આ તારીખ સુધી કેન્દ્રીય દળો તૈનાત રહેશે
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા
આ પણ વાંચો:મધ્યપ્રદેશના રાજગઢમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા સર્જાયો ભયાનક અકસ્માત, 13 લોકોના મોત