કોરોના/ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 41 હજારને પાર,29 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં અહીં આઠ ઓમિક્રોન કેસ નોંધાયા છે, જે કેસની કુલ સંખ્યા 1,738 પર પહોંચી ગયા છે.

Top Stories India

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 41,327 નવા કેસ નોંધાયા હતા,જયારે 29 દર્દીઓના મોત થયા છે. હાલમાં રાજ્યમાં 2,65,346 ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં આઠ ઓમિક્રોન કેસ નોંધાયા છે, જે કેસની કુલ સંખ્યા 1,738 પર પહોંચી ગયા છે.

મુંબઈમાં UAE સહિત દુબઈથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે ફરજિયાત સાત દિવસની હોમ ક્વોરેન્ટાઈન અને આગમન પર RT-PCR ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. બીએમસીએ રવિવારે આ જાણકારી આપી છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના 7,895 નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓના મોત થયા છે. અહીં સક્રિય કેસ 60,371 છે.

કેરળમાં રવિવારે કોરોનાના 18,123 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 8 દર્દીઓના મોત પણ થયા છે. હાલમાં, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 1,03,864 છે, જ્યારે રોગચાળાને કારણે 50,832 લોકો મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, મૃત્યુ કોષ્ટકમાં 150 મૃત્યુ ઉમેરાયા છે.