NIA Court News: NIA આજે જમ્મુમાં વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. આ હુમલો 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામની બસરાન ખીણમાં થયો હતો. આ હુમલામાં લોકો ધર્મ પૂછવા બદલ માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 25 પ્રવાસીઓ અને એક ચાલકનું મોત થયું હતું. ચાર્જશીટમાં ત્રણ સ્થાનિક આરોપીઓના નામ સામેલ હશે.

પહેલગામ આતંકવાદી હુમલાના કેસમાં ત્રણ સ્થાનિક આરોપી
તપાસ બાદ NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા તેમજ તેના સ્થાનિક સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ની ભૂમિકા પણ સામે આવી છે.
ચાર્જશીટમાં સ્થાનિક સહયોગી બશીર અહમદ જોથર, પરવેઝ અહમદ જોથર અને મોહમ્મદ યુસુફ કટારીના નામ સામેલ હશે. ત્રણ સ્થાનિક આરોપીઓએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી.
આતંકવાદીઓને મદદ કરવામાં આવી હતી
NIAની તપાસમાં બહાર આવ્યું છે કે બશીર અને પરવેઝ જોથર બંને સ્થાનિક રહેવાસીઓ છે. બંનેએ 21 એપ્રિલની રાત્રે આતંકવાદીઓને હિલ પાર્ક વિસ્તારમાં એક ઝૂંપડીમાં રાખ્યા હતા. હુમલાના લગભગ બે મહિના પછી 22 જૂને આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, જોથર ભાઈઓના ફોનમાંથી કેટલાક પાકિસ્તાની નંબરો મળી આવ્યા છે, જે સમગ્ર નેટવર્કને જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.

તપાસ અને સર્ચ ઓપરેશન,ચાર્જશીટ
બીજા જ દિવસે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ-સુલેમાન શાહ, હમઝા અફગાની ઉર્ફે અફઘાન અને જિબ્રાન-28 જુલાઈના રોજ દાચીગામના જંગલોમાં માર્યા ગયા હતા. તપાસના સંદર્ભમાં પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અને દુકાનદારો સહિત 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં જપ્ત કરાયેલા મોબાઇલ ફોન અને અન્ય રિકવરીની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઓપરેશન સિંદૂર અને આગળની કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંધૂર નામનું એક મોટું લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી લોન્ચ પેડ પર વહેલી સવારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ચાર્જશીટ આતંકવાદીઓ, તેમના સ્થાનિક મદદગારો અને લશ્કર-એ-તૈયબાના નેટવર્કની સંપૂર્ણ હદ જાહેર કરી શકે છે. NIAએ સપ્ટેમ્બરમાં જમ્મુ કોર્ટ પાસેથી તપાસ પૂર્ણ કરવા માટે 45 દિવસનો વધારાનો સમય માંગ્યો હતો.

