અમદાવાદ/ મુખ્યમંત્રી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી – દર્શન કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મી ઓગસ્ટે યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી – દર્શન કરશે. 

Ahmedabad Gujarat
Untitled 81 મુખ્યમંત્રી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી - દર્શન કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી અને દર્શન કરશે. આ ઉપરાંત તેઓ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મી ઓગસ્ટે યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી – દર્શન કરશે.

આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.