ભારતીય રિઝર્વ બેંકે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારોને થોડા હજાર રૂપિયા ઉપાડવાની વધુ રાહત આપી છે. આરબીઆઈએ પીએમસી ખાતાધારકોની ઉપાડની મર્યાદા 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે, અગાઉ આરબીઆઈએ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી કુલ થાપણમાંથી 40,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી અને તે પહેલાં મર્યાદા 25 હજાર હતી. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય સતત વિરોધને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પીએમસી બેંકમાં નાણાંકીય ગેરરીતિના મામલે મધ્યસ્થ બેંકે આ ગ્રાહકો માટે રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરી હતી અને બેંક પર વિવિધ નિયંત્રણો પણ લગાવ્યા હતા.
અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નરે મને ખાતરી આપી છે કે તેઓ ગ્રાહકોના હિતને ધ્યાનમાં લેશે અને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર થાપણો પર બાંયધરી મર્યાદામાં એક લાખ રૂપિયા વધારવાનો વિચાર કરી શકે છે. જો આવું થાય છે, તો તે સંસદ દ્વારા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
