બીબીસી ડોક્યુમેન્ટરી/ ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો,PM ઋષિ સુનકે પાકિસ્તાની મૂળના સાંસદને આપ્યો જારેદાર જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે

Top Stories World
PM Rishi Sunke

PM Rishi Sunke:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચી ગયો છે. જ્યારે પાકિસ્તાની મૂળના સાંસદ ઈમરાન હુસૈને સંસદમાં આ મામલો ઉઠાવ્યો તો બ્રિટિશ પીએમ ઋષિ સુનકે તેમને જવાબ આપ્યો અને  ભારતીય પીએમ મોદીના સમર્થનમાં બોલતા બ્રિટિશ પીએમ ઋષિ સુનકે તેમની સંસદમાં કહ્યું કે તેઓ આ ડોક્યુમેન્ટ્રીમાં તેમના પાત્રાલેખન સાથે સહમત નથી. પોતાની વાત રાખતા સુનકે કહ્યું કે આ મામલે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે, લાંબા સમયથી જે સ્ટેન્ડ છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. સુનકે વધુમાં કહ્યું કે અલબત્ત અમે ઉત્પીડન સહન કરતા નથી, તે ગમે ત્યાં હોય, પરંતુ નરેન્દ્ર મોદી વિશે જે પાત્રાલેખન કરવામાં આવ્યું છે તેની સાથે હું બિલકુલ સંમત નથી.

ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રી હકીકતમાં BBC  એક બ્રિટિશ સંસ્થાએ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળને નિશાન બનાવતી 2 ભાગોમાં શ્રેણી દર્શાવી હતી. જેના કારણે બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા ઘણી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્યુમેન્ટ્રીને પસંદગીના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ આ ડોક્યુમેન્ટરીની નિંદા કરી હતી, જ્યારે બ્રિટિશ મૂળના લોર્ડ રામી રેન્જરે કહ્યું હતું કે બીબીસીના કારણે એક અબજથી વધુ ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

બીબીસી રિપોર્ટિંગની નિંદા કરતા રામી રેન્જરે એક ટ્વીટ પણ કર્યું જેમાં તેણે લખ્યું કે બીબીસી ન્યૂઝ તમે એક અબજથી વધુ ભારતીયોને ઘણું દુઃખ પહોંચાડ્યું છે. આ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય પોલીસ અને ન્યાયતંત્રનું અપમાન છે. અમે રમખાણો અને જાનહાનિની ​​નિંદા કરીએ છીએ અને તમારા પક્ષપાતી અહેવાલની પણ નિંદા કરીએ છીએ. આ સિવાય ભારતીય વિદેશ મંત્રાલયે પણ બીબીસીના આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે શું કહ્યું? વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બ્રિટનમાં ડોક્યુમેન્ટ્રીના નામે જે બતાવવામાં આવ્યું તે એક પ્રચારનો ભાગ છે. જેમાં સત્ય નથી. તેણે કહ્યું કે ભારતમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આ ફિલ્મ અથવા દસ્તાવેજી એ એજન્સી,વ્યક્તિઓનું પ્રતિબિંબ છે જેઓ આ વાર્તાને ફરીથી ફેલાવી રહ્યા છે. આનાથી આપણે આ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારીએ છીએ.

Anant-Radhika Engagement/અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર