નાગરિકતા સુધારા અધિનિયમ સામે દેશનાં જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, આજે બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી સીએએ વિરુદ્ધ નોન-સ્ટોપ વિરોધ શરૂ કરશે, જ્યારે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા એક મોટી માર્ચ યોજાશે, ઉપરાંત કેટલાક મુસ્લિમ સંગઠનોએ આજે સીએએ નાં વિરોધમાં રોઝાની ઘોષણા કરી હતી.
TMCP to organise sit-in demonstration against CAA-NRC: Didi
Read more >> https://t.co/N4BK2mclU4 pic.twitter.com/e4arvUhrLm
— All India Trinamool Congress (@AITCofficial) January 9, 2020
આપને જણાવી દઈએ કે, બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીએએ વિરુદ્ધ નોન સ્ટોપ વિરોધની ઘોષણા કરી છે, જ્યારે તેના એક દિવસ પહેલા તેમણે મોદી સરકારને ઘેરી લેવા વિપક્ષી એકતા કવાયતને મોટો ઝટકો આપ્યો છે જ્યારે તેઓ 13 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી વિપક્ષની બેઠકમાંથી બાકાત રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તેઓએ કોંગ્રેસ અને ડાબેરીઓ પર બંગાળમાં ગંદુ રાજકારણ રમવાનો આરોપ લગાવતા કહ્યું છે કે હવે તેઓ નાગરિકતા કાયદા અને એનઆરસી સામે એકલા જ લડશે.
United Muslim Action Committee is organising a #TirangaRally against #CAA_NRC_NPR on January 10 afternoon, post Friday prayers, from Eidgah Mir Alam to Shastaripuram.
We request everyone to participate in the #TirangaRally and help make this rally a grand success. pic.twitter.com/ab0te5nmjr
— AIMIM (@aimim_national) January 7, 2020
વળી એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધ હૈદરાબાદમાં એક મોટી જાહેર સભા યોજવા જઈ રહ્યા છે, પહેલા એક માર્ચ નિકાળવામાં આવશે ત્યારબાદ જાહેરસભાને સંબોધિત કરવામાં આવશે, આ પ્રદર્શનો સિવાય દેશનાં ઘણા ભાગોમાં સીએએ અને એઆરસી વિરોધ, સમર્થન માં પ્રદર્શન ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
