વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ચાલી રહેલા કોવિડ -19 રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ વડા પ્રધાનને દેશમાં ચાલી રહેલા રસીકરણ વીશેની વિસ્તૃત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં રસીકરણ અભિયાન અંગે જાગૃતિ ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ કોરોનાની વેક્સિન મુકવાનું કાર્ય પણ ઝપડી આગળ વધી રહ્યુ છે. આ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ વીશે અધિકારીઓ સાથે વાતચીત કરી માહિતી માગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા કોવિડ -19 રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ વડા પ્રધાનને દેશમાં રસીકરણની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત વડા પ્રધાનને વય મુજબના રસીકરણના કવરેજ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા..
ઉલ્લેખનીય છે કે, પ્રધાન કાર્યાલય દ્વારા શેર કરેલી માહિતી મુજબ, પીએમ મોદીને અધિકારીઓ દ્વારા આરોગ્ય રાજ્યો, ફ્રન્ટલાઈન કામદારો અને વિવિધ રાજ્યોના સામાન્ય લોકોમાં રસીકરણ વીશેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી.
