New Delhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન તરફથી સમર્થન મળવાના પ્રશ્નનો આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ ભારતની લોકસભાની ચૂંટણી છે અને ભારતની લોકશાહી ઘણી પરિપક્વ છે. અહીં તંદુરસ્ત પરંપરાઓ છે અને ભારતના મતદારો પણ બહારની કોઈપણ ગતિવિધિથી પ્રભાવિત થવાના મતદાતા નથી.
‘મને ખબર નથી કે કેટલાક લોકોને પાકિસ્તાન કેમ ગમે છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખબર નથી કે શા માટે માત્ર થોડા જ લોકો એવા હોય છે જેમને અમારી સાથે દુશ્મની હોય છે, શા માટે થોડા જ લોકો એવા હોય છે જેમના સમર્થનમાં ત્યાંથી અવાજ ઉઠે છે. તેમણે કહ્યું કે હવે આ એક મોટી તપાસનો ગંભીર મામલો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે હું જ્યાં બેઠો છું ત્યાંથી મારે આવા વિષયો પર ટિપ્પણી કરવી જોઈએ, પરંતુ હું તમારી ચિંતા સમજી શકું છું. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના નિશાન સાધતાં કહ્યું કે પહેલા જે લોકો કહેતા હતા કે સોનિયા ગાંધીને જેલમાં નાખો, ફલાને જેલમાં નાખો, હવે એ જ લોકો બૂમો પાડે છે.
અગાઉ દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનાં દિવસે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં વોટ કરશે. જો કે, કેજરીવાલે ફવાદના નિવેદન પર તરત જ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં તેમની દખલગીરીની કોઈ જરૂર નથી અને તેમણે પહેલા પોતાના દેશની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ પણ વાંચો: મિઝોરમમાં ભૂસ્ખલનથી પાંચના મોત, અનેક લોકો ગૂમ
આ પણ વાંચો: PM મોદીનો મૈસૂર યાત્રાનો ખર્ચ કર્ણાટક સરકાર ઉઠાવશે
આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
આ પણ વાંચો: PM મોદીનો ‘બંગાળીઓના મનમાં મોદી’ થીમ પર કોલકાતામાં આજે રોડ શો