પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની એક ઝલક શેર કરી હતી. મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો વિકાસ જોયો છે. આવા ફલાવર શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, PM મોદીએ વધુમાં ઉમેર્યું.
વડાપ્રધાને X પર પોસ્ટ કર્યું;
“અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક…”
“અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતાં જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરિત કરે છે. તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.”
આ પણ વાંચો: PM મોદી આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે
આ પણ વાંચો: દિલજીત દોષંજે નવા વર્ષમાં કરી PM મોદી સાથે મુલાકાત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ‘ફલાવર શો’ નો પ્રારંભ કરાવશે
