માયાનગરી મુંબઈના લાલબાગ વિસ્તારમાં, સિલિન્ડર બ્લાસ્ટને કારણે 20 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના બે વાહનો અને બે જમ્બો ટેન્કર ઘટના સ્થળે હાજર છે. આ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો :યુવરાજના પિતાએ ગુજરાતીઓને લઈને છેડયો વિવાદ, કર્યું એવું કે હવે ધરપકડ કરવા ઉઠી માંગ
સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ સાંભળતાંની સાથે જ આસપાસના વિસ્તારોમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઘાયલોની ચીસો સંભળાવા લાગી. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
20 people injured in a cylinder blast in Lalbaug area of Mumbai, Maharashtra. Two fire brigade and two jumbo tankers are on the spot: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) December 6, 2020
યાદ આપવી દઈ કે, રવિવારે પણ ગોરેગાંવ પૂર્વમાં આવેલા સતગુરુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારે આગ લાગી હતી. આગ ઔદ્યોગિક ક્ષેત્રમાં ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટોરી કંપનીને લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબૂમાં લીધી હતી. જોકે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. આપણે જણાવી દઈએ કે જે કંપનીમાં આગ હતી ત્યાં પ્લાસ્ટિકની સામગ્રી રાખવામાં આવી હતી, જેના કારણે આગએ ભયંકર રૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા ફાયરમેનને ફેક્ટરીના પાછળના દરવાજામાંથી તોડવું પડ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ
તો ગયા અઠવાડિયે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા ફર્નિચરના વેરહાઉસમાં ભારે આગ લાગી હતી. જ્વાળાઓ દૂરથી જોઇ શકાઈ હતી. તો ગત બુધવારે રાત્રે રાયગઢમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
