ભારતીય જનતા પાર્ટી એ આજે કેરળ વિધાનસભાની ચૂંટણી માટે મેટ્રો મેન ઇ. શ્રીધરનના નામની ઘોષણા કરી છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીએ તેમનું નામ પાછું ખેંચી લીધું છે. તાજેતરમાં જ મેટ્રો મેન ઇ. શ્રીધરનએ ભગવો ધારણ કર્યો હતો. અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 88 વર્ષિય શ્રીધરન ગયા અઠવાડિયે ભાજપમાં જોડાયા હતા.
વિજય યાત્રા દરમિયાન કેરળમાં ભાજપના વડા કે સુરેન્દ્રને શ્રીધરનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “પાર્ટી ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોની સૂચિ પણ બહાર પાડશે.”
શ્રીધરન 25 ફેબ્રુઆરીએ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. કેરળના મલપ્પુરમમાં ભાજપના કાર્યક્રમમાં તે પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તેમણે થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જો ભાજપ ઇચ્છે તો તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે અને જો પાર્ટી કહે છે કે તેઓ મુખ્યમંત્રી પદ માટે તૈયાર છે.
Our party has announced that E Sreedharan will be the chief minister candidate (for Kerala assembly elections): MoS MEA and BJP leader V Muraleedharan pic.twitter.com/HC01OThQYm
— ANI (@ANI) March 4, 2021
મેટ્રો મેન તરીકે જાણીતા અને મોટા માળખાગત પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં કુશળ માનવામાં આવતા-88 વર્ષીય ટેક્નોક્રેટએ એમ પણ કહ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ ભાજપને કેરળમાં સત્તા લાવવામાં મદદ કરવાનો છે. શ્રીધરનની ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશને કેરળમાં પાર્ટી માટે મોટી ગતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
‘રાજ્યપાલનો પદ સંભાળવામાં રસ નથી’
ભાજપમાં જોડાતા પહેલા શ્રીધરને સ્પષ્ટ કર્યું હતું કે તેમને રાજ્યપાલ પદ સંભાળવામાં રસ નથી. તેમણે કહ્યું કે આ એક સંપૂર્ણ બંધારણીય પદ છે અને તેમાં કોઈ શક્તિ નથી અને તેઓ આવા પદ પર રહીને રાજ્યમાં કોઈ સકારાત્મક યોગદાન આપી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે મારું મુખ્ય ઉદ્દેશ કેરળમાં ભાજપને સત્તામાં લાવવાનો છે. જો કેરળમાં ભાજપ ચૂંટણીમાં જીત મેળવે છે, તો ત્યાં ત્રણથી ચાર ક્ષેત્ર હશે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ. આમાં રાજ્યમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને ઉદ્યોગો લાવવાનો સમાવેશ થાય છે.
