મેગાસ્ટાર અમિતાભ બચ્ચને માહિતી આપી છે કે તેમની બીજી આંખની સર્જરી સફળ રહી છે અને તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં તેની આંખની સર્જરી કરવામાં આવી હતી. 78 વર્ષીય અભિનેતાને સર્જરી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સર્જરી બાદ રિકવરી ગતિ ‘ધીમી અને મુશ્કેલ’ છે. બચ્ચને તે સમયે બીજી આંખની સર્જરી કરાવવાનો સંકેત પણ આપ્યો હતો. અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે ડો.હિમાંશુ મહેતાનો આભાર માન્યો અને કહ્યું કે આ સર્જરી ‘જીવન બદલવાનો અનુભવ’ છે.
T 3842 – .. and the 2nd one has gone well .. recovering now ..
all good .. the marvels of modern medical technology and the dexterity of dr HM 's hands .. life changing experience ..
You see now what you were not seeing before .. surely a wonderful world !!— Amitabh Bachchan (@SrBachchan) March 14, 2021
તેમણે ટ્વિટ કર્યું કે, ‘બીજી સર્જરી પણ સફળ રહી હતી. હવે ઠીક થઈ રહ્યો છે બધું બરાબર છે શાનદાર આધુનિક તબીબી ટેકનોલોજી અને ડો.હિમાંશુ મહેતાના હાથની કુશળતા….. જીવન બદલવાનો અનુભવ. હવે તમે જોઈ શકો છો કે જે પહેલાં ન જોયું હતું. નિશ્ચિતરૂપે વિશ્વ આશ્ચર્યજનક છે. ” તેમના ચાહકો તરફથી તેમને મળેલી શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માનતાં બચ્ચને કહ્યું કે લોકો તેમના સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી રહ્યા છે તે જાણીને તેઓ અભિભૂત છે.

આ પહેલા જયારે તેમને આંખની પહેલી સર્જરી કરાવી ત્યારે અમિતાભે તેમના બ્લોગમાં કહ્યું હતું, ‘આ ઉંમરે આંખની સર્જરી ઘણી જ નાજુક તથા ઘણી જ સારસંભાળ માગી લેતી હોય છે. બેસ્ટ થયું છે અને આશા છે કે બધું સારું રહેશે. આંખોની દૃષ્ટિ તથા રિકવરી ઘણી જ સ્લો છે અને મુશ્કેલીથી ટાઈપ થઈ શકે છે. ભૂલો પડે તો માફ કરજો. હાલમાં મને ગેરી સોબર્સ જેવી લાગણી થાય છે. ગેરી સોબર્સ વેસ્ટ ઈન્ડીઝનો મહાન ક્રિકેટર છે. તેની પોતાની એક ક્રિકેટ સ્ટોરી છે. સમય મળે ત્યારે આ સ્ટોરીની વાત શૅર કરીશ. આ ક્રિકેટર સ્ટોરી મેં સાંભળી હતી, પરંતુ એ ઓથેન્ટિક છે કે નહીં એ મને ખ્યાલ નથી. શા માટે રાહ જોવી, અત્યારે જ વાત કરું…’
આ પણ વાંચો : 28 વર્ષની થઇ આલિયા ભટ્ટ, પણ આજે તેનો જન્મદિવસ ઉજવશે નહીં, કારણ કે..
બિગ બીએ કહ્યું હતું, ‘ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝ સારી સ્થિતિમાં નહોતું અને એ મેચ હારી જાય એમ હતું. ગેરી સોબર્સ ડ્રેસિંગ રૂમમાં હતો અને તેણે પોતાની ટીમની સ્થિતિ અંગે ખ્યાલ હતો. તેણે રમની બોટલ ખોલી અને થોડુંક પીધું…તેનો વારો આવ્યો અને તેણે ફાસ્ટેસ્ટ સદી ફટકારી દીધી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે કેવી રીતે આમ કર્યું…તો તેણે જવાબ આપ્યો હતો કે તેમને ત્રણ ત્રણ બોલ દેખાતા હતા અને એ વચ્ચેના બોલને મારતો હતો…! બસ મારી આંખની પરિસ્થિતિ પણ અત્યારે કંઈક આવી જ છે. મને એક અક્ષર ત્રણ-ત્રણ વાર દેખાય છે અને હું મિડલ બટન પ્રેસ કરું છું.’

ગત વર્ષે થયો હતો કોરોના
અમિતાભ બચ્ચન બોલિવૂડ અભિનેતા છે, તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અગાઉ તે કોરોનાથી પીડાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને પૌત્રી આરાધ્યાના પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો : નીલ ભટ્ટ બાદ મંગેતર ઐશ્વર્યા પણ બની કોરોનાનો શિકાર, તેમના વિના જ શૂટિંગ થશે શરૂ
જો વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અજય દેવગણ સાથેની ફિલ્મ ‘મે ડે’નું શૂટિંગ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા તેમણે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. આ ઉપરાંત અમિતાભે તેમની આગામી ફિલ્મોની જાહેરાત કરી હતી. ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘ચહેરે’ 30 એપ્રિલે રિલીઝ થવાની છે. જ્યારે ‘ઝુંડ’ 18 જૂને થિયેટરમાં રિલીઝ થશે.
