- કોવિડ-2019ની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન
- વાલીનું સંમતિપત્રક ફરજીયાત
- અગાઉ ધોરણ-10 અને 12ના વર્ગ થયા શરૂ
- શિક્ષણને ગતિ આપવાની દિશામાં મહત્વનો નિર્ણય
- હવે પછી ધોરણ-1 થી 8 અંગે સરકાર કરશે નિર્ણય
@અરુણ શાહ, અમદાવાદ
ગુજરાતમાં શિક્ષણકાર્યને વેગ આપવા સોમવારથી ધોરણ-9 અને 11ના વર્ગનો પ્રારંભ થશે. કોવિડ-2019ની માર્ગદર્શીકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે. હાલમાં ધોરણ-10 અને 12ના વર્ગ નિયમિત શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે બીજા તબક્કામાં હવે ધોરણ-9 અને 11ના વર્ગ પણ શરૂ કરવામાં આવશે. સોમવારથી કોવિડ-2019ની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થશે. શિક્ષણકાર્યને રાબેતામુજબ કરવાની દિશામાં સરકારે આ નિર્ણય કર્યો છે. જો કે ધોરણ-9 અને 11 માટે પણ વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી . સંચાલક અને શૈક્ષણિકસ્ટાફ સહિતના તમામ લોકોએ ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણકાર્યને ગતિ આપવાની રહેશે. શૈક્ષણિકકાર્ય શરૂ કરવાના સરકારના નિર્ણયને મહદઅંશે આવકાર સાંપડ્યો છે.

કયા નિયમનું પાલન કરવાનું રહેશે ?
-વિદ્યાર્થીઓ ઉપરાંત સંચાલક-આચાર્ય અને સ્ટાફ માટે માસ્ક ફરજીયાત
-શૈક્ષણિક સંકુલને સંપૂર્ણ સેનીટાઇઝેશન કરવું
-શાળામાં સામાજિક દૂરી જાળવવાના નિયમનું ચુસ્ત પાલન કરવું
-વિદ્યાર્થી શાળાએ હાજરી આપતાં અગાઉ માતા-પિતાનું સંમતિપત્રક ફરજીયાત
શૈક્ષણિકાકાર્યને વેગ આપવાની દિશામાં હવે ધોરણ- 9 થી 12ના વર્ગ રાબેતા મુજબ થશે. તો ટૂંક સમયમાં હવે ધોરણ-1 થી 8 ના વર્ગ લાંબા સમયથી બંધ છે તેને પુન શરૂ કરવાની દિશામાં પણ સરકાર નિર્ણય કરશે. આ ઉપરાંત કોલેજના ફાઇનલ સિવાયના વર્ષમાં પણ કોવિડ2019ના સંપૂર્ણ પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી ટૂંક જ સમયમાં શૈક્ષણિકકાર્યને સંપૂર્ણ ધમધમતું કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેથી આગામી સમયમાં પરીક્ષા અને ત્યારપછી નવું શૈક્ષણિકસત્ર રાબેતા મુજબ ધમધમતું કરી શકાશે.
Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી
કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….
Covid-19 / અહીં એક સાથે 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવતા સ્થાનીકોમાં હડકંપ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
