દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા અરવિંદે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, તેમજ તમામ ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમએ એમ પણ કહ્યું કે આ મામલે જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
માહિતી અનુસાર, તે 4 માળની બિલ્ડિંગ છે જેનો ઉપયોગ કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે કોમર્શિયલ રીતે કરવામાં આવે છે. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી કરી કારખાનેદારના બંને પુત્રોની ધરપકડ કરી હતી.
Delhi Mundka Fire | CM Arvind Kejriwal along with Deputy CM Manish Sisodia reach the spot where a massive fire broke out yesterday in a 3-storey commercial building near Mundka metro station
27 people were killed in the incident while 29 people are still missing pic.twitter.com/dgZqnqEWg4
— ANI (@ANI) May 14, 2022
માહિતી આપતા ડીસીપી સમીર શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જેમાં 2 લોકોની ઓળખ કરવામાં આવી છે. બાકીના 25ની ઓળખ થઈ નથી. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. આ સિવાય કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.જોકે, બિલ્ડિંગનો માલિક હજુ ફરાર છે. એનઓસીના પ્રશ્ન પર ડીસીપીએ કહ્યું કે હવે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:/ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન કોરોનાની ઝપેટમાં,સો. મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી
