કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને હવે 20.77 કરોડ થઇ ગયા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 43.7 લાખ લોકોનાં મોત થયા છે. વળી, અત્યાર સુધીમાં કુલ 4.7 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ આંકડા શેર કર્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું હતું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને રસીકરણની સંખ્યા અનુક્રમે 20,77,98,567, 43,70,447 અને 4,70,35,78,751 છે.
આ પણ વાંચો – આતંકનો ઓછાયો / કાબુલમાં ભારતે બનાવેલી સંસદ પર તાલિબાની આતંકવાદીઓએ કર્યો કબ્ઝો, Video
સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, 3,68,84,777 કેસ અને 6,22,292 મૃત્યુ સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ગયો છે. 3,22,25,513 કેસ સાથે સંક્રમણનાં મામલે ભારત બીજા ક્રમે છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશો બ્રાઝિલ (20,378,570), રશિયા ( 6,531,585), ફ્રાન્સ (6,476,855), યુકે (6,325,515), તુર્કી (6,096,786), આર્જેન્ટિના (5,088,271), કોલંબિયા (4,870,922), સ્પેન (4,719,266) , ઇટાલી (4,444,338), ઇરાન (4,467,015), ઇન્ડોનેશિયા (3,871,738), જર્મની (3,831,827) અને મેક્સિકો (3,101,266) છે. મૃત્યુની દ્રષ્ટિએ બ્રાઝીલ 569,492 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારતમાં (431,642), મેક્સિકો (248,167), પેરુ (197,393), રશિયા (168,384), યુકે (131,296), ઇટાલી (128,456), કોલંબિયા (123,580), ઇન્ડોનેશિયા (118,833), ફ્રાન્સ (112,787) અને આર્જેન્ટિના (109,105) ) એક મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
COVID-19 | India reports 25,166 new cases in the last 24 hours, lowest in 154 days. Active cases decline to 3,69,846, lowest in 146 days; recovery at 97.51% pic.twitter.com/IPE5ABHSLd
— ANI (@ANI) August 17, 2021
આ પણ વાંચો – સુપ્રીમકોર્ટ / કોરોના મૃતકોના આશ્રિતોને વળતર આપવા કેન્દ્રને માર્ગદર્શિકા બનાવવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો
ભારતમાં કોરોનાનાં કેસ હવે ઘટી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 25,166 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. આ છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછા કેસ છે. વળી જો એક્ટિવ કેસની વાત કરીએ તો આજે દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ 3,69,546 છે. જે છેલ્લા 146 દિવસમાં સૌથી ઓછા છે. વળી કોરોનાથી રીકવરી રેટ હવે 97.51 ટકા થઇ ગયો છે. જો કે હજુ પણ વૈજ્ઞાનિકો કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જોવાનુ રહેશે કે આવતા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર દેશમાં પ્રવેશ કરે છે કે નહી. ભારતમાં અત્યાર સુધીમાં 3,14,48,754 લોકો કોરોના સંક્રમણને હરાવીને સામાન્ય જીવનમાં પરત ફર્યા છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં 36,830 લોકો કોરોનામાંથી ઠીક થયા છે. એક તરફ નવા કેસોની સંખ્યા 25 હજારની નજીક હોવાને કારણે અને બીજી તરફ 36 હજાર લોકોની રિકવરીનાં કારણે એક જ દિવસમાં સક્રિય કેસોમાં આશરે 10,000 નો ઘટાડો થયો છે. આ ઉપરાંત, રસીકરણની ગતિ પણ ફરી એક વખત ઝડપી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 88.13 લાખ રસી ડોઝ આપવામાં આવી છે. જે એક જ દિવસમાં રસીકરણનો સૌથી મોટો આંકડો છે.
